પેશાવરઃ પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતમાં મુઝફ્ફરગઢમાં પોલીસે એક એવા ભયાનક જાનવરની ધરપકડ કરી છે જેને બાળકોનું માંસ ખાવાની આદત હતી. તે પહેલા બાળકોની નિર્દયતાથી હત્યા કરતો હતો અને પછી તેને ફાડી નાખીને તેનું માંસ ખાતો હતો.
સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે પાંચ દિવસ પહેલા મુજ્જરગઢ શહેરના ખાન ગઢ વિસ્તારમાંથી ત્રણ બાળકો ગુમ થયા હતા. પહેલા માતા-પિતાએ બાળકોને શોધ્યા, પરંતુ તેઓને ટૂંક સમયમાં સમજાયું કે તેમના માટે તેમના બાળકોને શોધવાનું મુશ્કેલ બનશે. આ પછી પોલીસને ત્રણેય બાળકોના ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. મામલાની ગંભીરતા જોઈને પોલીસે પણ તાત્કાલિક બાળકોની શોધખોળ શરૂ કરી હતી.
સાત વર્ષના માસૂમ બાળકને ચુંગાલમાંથી છોડાવવામાં આવ્યો હતો
જોકે, પોલીસ તેને પકડે તે પહેલા તેણે બે બાળકોની ઘાતકી હત્યા કરી નાખી. આ પાકિસ્તાની જાનવર માત્ર આટલેથી જ અટક્યો ન હતો, પરંતુ તેણે તેમનું માંસ પણ ખાધું હતું. સદનસીબે, ત્રીજો બાળક, સાત વર્ષનો અલી હસન, આરોપીના કબજામાંથી બચાવી લેવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરી લીધી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.
નિર્દોષ છોકરાએ શું કહ્યું?
અલી હસને જણાવ્યું કે ત્રણ વર્ષના અબ્દુલ્લા અને તેની દોઢ વર્ષની બહેન હાફસાની હત્યા કર્યા બાદ આરોપીએ તેનું માંસ રાંધીને ખાધું. અરાઈ ન્યૂઝના અહેવાલ મુજબ આ સિવાય આરોપી વ્યક્તિએ મુઝફ્ફરગઢની સ્થાનિક દરગાહમાં માનવ માંસનું વિતરણ પણ કર્યું હતું. મુઝફ્ફરગઢ પોલીસે ખેતરમાંથી અબ્દુલ્લાના અવશેષો અને છરી મળી આવી છે, પરંતુ હાફસાની શોધ ચાલુ છે.
આરોપી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે.
પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ વ્યક્તિ હાલમાં હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે. તે ભાનમાં આવ્યા પછી, આ ઘાતકી હત્યાઓ વિશે વધુ ખુલાસો કરવામાં આવશે. ગુમ થયેલા બાળકોના પિતાની ફરિયાદના આધારે ધરપકડ કરાયેલ શંકાસ્પદ વ્યક્તિ વિરુદ્ધ હત્યા અને આતંકવાદના આરોપમાં પણ કેસ નોંધવામાં આવ્યો છે. બાળકોના પિતા ફૈયાઝે પણ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ