Banaskantha News/ થરાદ નજીક કેનાલમાં ખાબકી કાર, ત્રણ બાળકો અને એક પુરુષનો મળ્યો મૃતદેહ: મહિલાની શોધખોળ યથવાત

થરાદ નજીક દેવપુરા ગામ પાસે એક કાર નર્મદા મુખ્ય કેનાલમાં ખાબકી જતાં ત્રણ બાળકો અને એક પુરુષ સહિત ચાર લોકોના મોત થયા છે.

Top Stories Gujarat Others Breaking News

Banaskantha News: બનાસકાંઠામાં એક ચોંકાવનારી ઘટના બની છે. થરાદ નજીક દેવપુરા ગામ પાસે એક કાર નર્મદા મુખ્ય કેનાલમાં ખાબકી જતાં ત્રણ બાળકો અને એક પુરુષ સહિત ચાર લોકોના મોત થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કેનાલમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા, જ્યારે એક મહિલાની શોધખોળ હજુ ચાલુ છે.

મળતી માહિતી અનુસાર, કાર નર્મદા મુખ્ય કેનાલમાં ખાબકી હતી. કારમાં કુલ પાંચ લોકો હતા, જેમાં ત્રણ બાળકો અને એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે, એક મહિલા હજુ પણ ગુમ છે અને ફાયર વિભાગ તેને શોધી રહ્યું છે.

થરાદ નગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. “નહેરમાંથી એક પુરુષ અને ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. એક મહિલાની શોધ ચાલુ છે,” ફાયર અધિકારીએ જણાવ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાણંદ નજીક કાર કેનાલમાં ખાબકતા 3 ના મોત, મહિનામાં ત્રીજીવાર કાર કેનાલમાં ખાબકી,જિલ્લામાં અકસ્માતના 3 બનાવ – 6નાં મોત

આ પણ વાંચો:નર્મદા વિભાગની ઘોર બેદરકારી, કેનાલમાં સફાઈના નામે ભ્રષ્ટાચારનો આક્ષેપ, દીવાલ પાસે ગાબડું પડ્યું હોવાથી અકસ્માતનો ભય

આ પણ વાંચો:રિલ બનાવવા થયા પાગલ, ફતેવાડી કેનાલમાં સ્કોર્પિયો કાર ખાબકી, 3 લોકો લાપતા