બનાસકાંઠા,
હિંમતનગરના ઢુંઢરમાં 14 માસની બાળકી પર થયેલા બળાત્કારની ઘટના અંગે બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં ગેનીબેન ઠાકોર કહી રહ્યા છે કે, બળાત્કારના આરોપીને પેટ્રોલ છાંટીને સળગાવી દેવો જોઈએ.
ગેનીબેન અગાઉ પણ વિવાદિત નિવેદનો મામલે વિવાદ માં રહી ચૂક્યાં છે ત્યારે હાલમાં ચાલી રહેલા રેપકેસ મામલે આપેલા વિવાદિત નિવેદન આપતા ફરી એકવાર વધુ વિવાદમાં સપડાતા રાજકીય માહોલ ગરમાયો છે.