@પ્રકાશ ત્રિવેદી
બનાસકાંઠા: અમીરગઢના કિડોતર નજીક રેલવે ટ્રેક ઓળંગવા જતાં દુર્ઘટના સર્જાઈ હતી. રેલવે ટ્રેક ઓળંગવા જતાં વૃદ્ધ અને બે પૌત્રીઓ ટ્રેનની અડફેટે આવી જતાં મોત નીપજ્યા હતા.
મળતી માહિતી અનુસાર, દાદા તેમની 5 અને 2 વર્ષીય પૌત્રીઓ સાથે અમીરગઢના કિડોતર નજીક રેલવે ટ્રેક ઓળંગવા જતા હતા ત્યારે અચાનક આબુરોડ તરફથી આવતી યોગાનગરી ટ્રેનની અડફેટે આવી જતા ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યું હતા. એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા કિડોતર ગામમાં શોકનો માહોલ છવાયો હતો. આ દુર્ઘટના મામલે રેલવે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Rajkot Murder/ રાજકોટમાં યુવાનની છડે ચોક હત્યા, પૈસાની લેતીદેતીમાં મામલો બીચક્યાની સંભાવના
આ પણ વાંચો: Mumbai/ ગોરેગાંવમાં 7 માળની ઈમારતમાં ભીષણ આગ લાગી, 7 લોકોના મોત
આ પણ વાંચો: World Cup/ ભારતીય ટીમને મોટો ઝટકો, આ ઘાતક ખેલાડીને થયો ડેન્ગ્યૂ