અમદાવાદમાં પતિ હોવા છતાંય અનૈતિક સંબંધ બાંધતા ગર્ભ રહી જતા મહિલાએ બાળકીનું ગળું દબાવી હત્યા કરી. હત્યા કર્યા બાદ નવજાતને કચરાપેટીમાં નાખી દીધી હતી. લાંબા સમય બાદ ક્રાઇમ બ્રાન્ચે આ ગુનાનો ભેદ ઉકેલી હત્યારી માતાની ધરપકડ કરી.
- એલિસબ્રિજમા મળેલા નવજાતનો મામલો
- કચરાપેટીમાંથી મળ્યું હતું નવજાત
- મૃત હાલતમાં નવજાત મળતા પોલીસે કરી હતી તપાસ
- પાંચ મહિને હત્યાનો ભેદ ઉકેલાયો
- અનૈતિક સંબંધોથી બાળકને જન્મ આપનારની ધરપકડ
શિવાની શ્રીવાસ્તવ નામની મહિલાને પતિ હોવા છતાય અનૈતિક સંબંધો બાંધ્યા હતા. અને પરિણામ સ્વરૂપે ગર્ભ રહ્યો હતો. અને નવજાત બાળકીને ગળું દબાવી હત્યા પણ કરી નાખી હતી. પોતાની જ જન્મજાત બાળકીની હત્યાના ગુનામા આ મહિલાની ધરપકડ કરવામા આવી છે. અનૈતિક સંબંધોથી બાળકીનો જન્મ થયો હતો. જેથી પતિ બાળકી અને પોતાને નહી સ્વિકારે તેમ માની બાળકીનુ ગળુ દબાવી હત્યા નિપજાવી હતી. જોકે બાળકીની હત્યા બાદ મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમા ભરી ડોર ટુ ડોર કચરો એકઠો કરતી ગાડીમા નાખી દીધી હોવાનો ખુલાસો હત્યારી મા એ કર્યો છે. જે અંગે ક્રાઇમ બ્રાંચે શિવાનીની ધરપકડ કરી તેની કસ્ટડી એલિસબ્રિજ પોલીસને સોંપી છે.
નોધનીય છે કે, 14 ફેબ્રુઆરી 2021 ના રોજ એલિસબ્રિજ વિસ્તારમાં કચરાની ગાડીમાં એક નવજાત બાળકીની લાશ મળી આવી હતી. જે મામલે પાલડીના સેનેટરી ઇન્સ્પેકટર દ્વારા ફરિયાદ નોંધાવામા આવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. હત્યાના પાંચ મહિના બાદ ક્રાઈમ બ્રાન્ચને મળી માહિતી. કોચરબગામના ઠાકોર વાસમાં રહેતી મહિલાની બાળકી હતી. તેને બાળકીની હત્યા કરી ફેંકી દીધી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરી આરોપીની પૂછપરછ કરવામાં આવી તો તેણે ગુનો કબૂલી લીધો. ત્યાર બાદ વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે મહિલાના પતિ અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતા હતા. અને એકલા રહેતા હતા. આરોપીને અનૈતિક સંબંધોના કારણે બાળકી નો જન્મ થયો હતોં. જે બાબતે તેના પતિ સાથે બોલા ચાલી પણ થયેલ. જેથી આ હત્યાને અંજામ આપ્યો છે.
- 14 ફેબ્રુઆરી એલિસબ્રિજ વિસ્તારમાં મળી હતી બાળકીની લાશ
- પાલડીના સેનેટરી ઈન્સપેક્ટર દ્વારા નોંધાવામાં આવી ફરિયાદ
- ક્રાઈમ બ્રાન્સ દ્વારા કરવામાં આવી તપાસ
- હત્યાના પાંચ મહિના બાદ ક્રાઈમ બ્રાન્ચને મળી માહિતી
- ઠાકોર વાસમાં રહેતી મહિલાની હતી બાળકી
- મા એ બાળકીની હત્યા કરી ફેંકી હતી
મહિલાનાં અનૈતિક સંબંધોનો અંત આવ્યો કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ઉપરાંત બાળકીની હત્યાના ગુનામા અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ એલિસબ્રિજ પોલીસે હત્યારી માતાની કસ્ટડી મેળવી તપાસ હાથ ધરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે માવતર લજવતા આ કિસ્સામા શું નવા ખુલાસા થાય છે…