દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો કે કોરોના મહામારી વચ્ચે આ વખતે ફરી એકવાર જનતાએ સતર્ક રહેવાની જરૂર છે, પરંતુ તેનાથી વિપરીત દ્રશ્યો મુંબઈથી સામે આવ્યા હતા.
આ પણ વાંચો – તહેવાર / આજથી 10 દિવસનો ગણેશોત્સવ શરૂ, મહારાષ્ટ્રમાં સરકારે ભીડ ન ભેગી કરવા કરી અપીલ
આપને જણાવી દઇએ કે, ગણેશ ચતુર્થીનાં એક દિવસ પહેલા મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે મુંબઈની દાદર માર્કેટ પહોંચ્યા હતા. કોરોનાને જોતા મહારાષ્ટ્ર સરકારે ભક્તોને ગણપતિ પંડાલોમાં જવાની અને મુંબઈમાં જુલૂસ કાઢવાની મંજૂરી આપી નથી. કોરોનાને ધ્યાનમાં રાખીને, જ્યાં ભીડ ભેગી કરવા પર પ્રતિબંધ છે અને સામાજિક અંતર જાળવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યાં ગણેશ ચતુર્થી પર દાદર માર્કેટમાં વિશાળ ભીડ ખરીદી કરતી જોઈને પણ આશ્ચર્ય થાય છે. કારણ કે દેશમાં કોરોનાની બીજી લહેરમાં, ઘણા લોકો કોરોનાનો ભોગ બન્યા હતા અને કોરોનાની ત્રીજી લહેરની સંભાવના છે.
મુંબઈમાં ગણેશ મહોત્સવ અંગે 10-19 સપ્ટેમ્બરથી કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈનાં મેયરે તાજેતરમાં જ કહ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. ‘ઘરે ગણેશ ચતુર્થી ઉજવો’ મુંબઈનાં મેયર કિશોરી પેડનેકરે લોકોને ગણેશ ચતુર્થી ઘરે જ ઉજવવાની અપીલ કરી હતી. તેઓએ કહ્યું, “મુંબઈનાં મેયર તરીકે, હું ‘મેરા ઘર, મેરા બપ્પા’ ને અનુસરવાનો છું. હું ક્યાંય જઈશ નહીં કે કોઈને મારા ભગવાન પાસે લાવીશ નહીં. કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે આ ખૂબ મહત્વનું છે.” ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં કેન્દ્રએ મહારાષ્ટ્ર સરકારને તહેવારોને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો લાદવાની સલાહ આપી હતી. મહારાષ્ટ્રનાં મુખ્ય સચિવને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે, “આ આદેશ દ્વારા સૂચવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં આગામી તહેવારો (દહી હાંડી અને ગણપતિ ઉત્સવ સહિત) દરમિયાન જાહેર કાર્યક્રમો અને લોકોનાં મેળાવડાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સ્થાનિક રીતે પ્રતિબંધો લાદે.
આ પણ વાંચો – ગણપતિ ઉત્સવ / અઢીસો વર્ષ જુના ગણપતિના ઐતિહાસિક મંદિરની જાણો વિશેષતા
દહી હાંડી અને ગણપતિ ઉત્સવ મહારાષ્ટ્રનાં ખૂબ જ લોકપ્રિય તહેવારો છે. ઉપરોક્ત બંને તહેવારોમાં મુંબઈ અને મહારાષ્ટ્રનાં અન્ય શહેરોમાં મોટાભાગનાં લોકો રસ્તા પર છે. મહારાષ્ટ્ર સરકારે થોડા દિવસો પહેલા દહી હાંડી પર પ્રતિબંધ મૂક્યો હતો, હવે તેમણે ગણેશ ચતુર્થી પર કોઈપણ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે મહારાષ્ટ્રમાં કોરોના સંકટ હજુ સમાપ્ત થયું નથી. રાજ્યમાં કોરોનાનાં ચાર હજારથી વધુ કેસ સતત નોંધાઈ રહ્યા છે. મૃત્યુમાં ઘટાડો જોવા મળી રહ્યો નથી. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોનાનાં 4,219 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારી સામે 15 લોકોનાં મોત થયા છે.