આ દિવસોમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે. ચાહકોની નજર લગ્નને લગતા નાનામાં નાના અપડેટ્સ પર છે, જો કે બંનેએ હજી સુધી તેમના લગ્ન વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ કપલના નજીકના લોકોએ સ્પષ્ટ કર્યું છે કે રણબીર-આલિયા આવતીકાલે એટલે કે 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાશે.બીજી તરફ પુત્રના લગ્નના એક દિવસ પહેલા નીતુ કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેર કરી છે જેમાં તે ઋષિ કપૂર સાથે જોવા મળી રહી છે. ખાસ વાત એ નથી કે રણબીરના લગ્નના એક દિવસ પહેલા નીતુએ તેના પતિ સાથેનો ફોટો શેર કર્યો હતો, પરંતુ આજનો દિવસ નીતુ કપૂર માટે પણ ખૂબ જ ખાસ છે.
ખરેખર, 13 એપ્રિલના રોજ નીતુ કપૂર અને ઋષિ કપૂરની સગાઈ થઈ હતી, જેની એક ઝલક આજે અભિનેત્રીએ તેના ફેન્સ સાથે શેર કરી છે. નીતુના આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી, જ્યારે ઋષિ કપૂર તેની ભાવિ પત્નીને વીંટી પહેરાવતા જોવા મળે છે.
આ ફોટો શેર કરતા નીતુએ ફેન્સને બૈસાખીની શુભકામના પાઠવી છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, ‘બૈસાખી દિવસની કેટલીક યાદો મળી. 43 વર્ષ પહેલા આજના દિવસે અમારી સગાઈ થઈ હતી. 13 એપ્રિલ 1979.’ નીતુની આ પોસ્ટ પર પુત્રી રિદ્ધિમા કપૂરે પણ કોમેન્ટ કરી છે.