punjab election/ ચૂંટણી પરિણામો પહેલા કેપ્ટન અમરિન્દર અમિત શાહને મળ્યા, પંજાબ વિશે આપ્યું આ નિવેદન

પરિણામો પહેલા આજે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના લોક કોંગ્રેસના નેતા કેપ્ટન (અમરિંદર સિંહ) દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા છે.

Top Stories India
punjab

પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવી રહ્યા છે. આ પરિણામો પહેલા, આજે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના લોક કોંગ્રેસના નેતા કેપ્ટન (અમરિંદર સિંહ) દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા છે. આ બેઠક ગૃહમંત્રીના નિવાસ સ્થાને થઈ હતી.

આ પણ વાંચો:નવાબ મલિકની ED કસ્ટડી પૂર્ણ, કોર્ટે હવે 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા

જ્યારે મીડિયાકર્મીઓએ તેમને કેપ્ટન અમરિન્દરની આ મુલાકાત અંગે સવાલ કર્યો તો તેમણે જવાબ આપતા કહ્યું કે, મારી અમિત શાહ સાથે સામાન્ય ચર્ચા થઈ છે. પરિણામ આવ્યા બાદ વિગતવાર ચર્ચા થશે. તેમણે કહ્યું કે, અમિત શાહ સાથે પંજાબ પર સામાન્ય ચર્ચા થઈ છે, આ બેઠકને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી.

જ્યારે મીડિયાએ અમરિન્દરને ગઠબંધનની સ્થિતિ પર સવાલ કર્યો તો તેમણે કહ્યું કે હું પંડિત નથી. હું એવી વ્યક્તિ નથી કે જે આગાહી કરી શકે. અમરિંદરે વધુમાં કહ્યું કે, મારી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે. ભાજપે પણ સારો દેખાવ કર્યો છે. ચાલો જોઈએ શું થાય છે.

આ પણ વાંચો:માતા-પુત્રી દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને ફાંસી, તો સહ આરોપીને આજીવન કેદની સજા

આ પણ વાંચો:હરજોતને લઈ જતું એરફોર્સનું વિશેષ વિમાન, મોદી ઝેલેન્સકી અને પુતિન સાથે કરશે વાત, 4 શહેરોમાં યુદ્ધવિરામ