ભરૂચ,
ભરૂચના દહેજ જી.એફ.એલ. કંપની દ્વારા ખુલ્લી જગ્યામાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું. જાગૃત નાગરિક દ્વારા તેની તાપાસ કરતા પ્રાથમિક તારણમાં પાણીની અંદર એસિડિક તત્વોની માત્રા જોવામાં આવી હતી અને તેના સેમ્પલ લઈને જાગૃત નાગરિક દ્વારા જી.પી.સી.બી.ને જાણ કરવામાં આવી હતી.
ટેલિફોનિક સંપર્ક કરતા જી.પી.સી.બી દ્વારા તપાસ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પણ બનાવના સ્થળ પર અત્યારે નહીં આવી શકાય. કેમ કે અત્યારે અમારી પાસે ત્યાં પહોચવા માટે વાહનની વ્યવસ્થા નથી તેવું કહીને જીપીસીબે પોતાનો લુલો બચાવ કર્યો હતો. તો જયારે કોઈ મોટો બનાવ બનશે તો જી.પી.સી.બી.કેવી રીતે આવી શકશે તેવી ચર્ચાએ ગ્રામજનો વચ્ચે જોવા મળી હતી.