ભરુચ,
ભરુચના દયાદરા ગામે પંચાયત દ્વારા 14માં નાણાપંચની ગ્રાન્ટમાં ગેરરીતિ કરવામાં આવતી હોવાની વાત સામે આવી રહી છે. પરંતુ તંત્ર દ્વારા કાર્યવાહી માં વિલંબ થઈ રહ્યો છે. દયાદરા ગામે પંચાયતમાં પોલિસ બંદોબસ્ત સાથે તપાસ કરવામાં આવી હતી.
ભ્રષ્ટાચારમાં સપડાઇ જવાની બીકે ઉશ્કેરાઈને ગામના સરપંચ અને એના કેટલાક લોકો દ્વારા આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડનારા સામાજિક કાર્યકર્તા મિનહાજ હાફેજી અને એમના પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
પોલિસ દ્વારા હુમલાખોરો ઉપર FIR નોંધી પોલીસે વધુ કાર્યવાહી શૂરું કરી છે. પરંતુ આવા ભ્રષ્ટાચારઓ ક્યારે જેલના સળિયા પાછળ જાય છે અને ક્યારે આવા ભ્રષ્ટાચારઓ બરતરફ થાય છે. કે કોઈ રાજનીનિક પક્ષ ફરીથી આવા ઈશમોને છાવરે છે. એ તો સમયજ બતાવશે.