અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસવા પામ્યો હતો. ત્યારે 24 કલાક માં સૌથી વધુ ભિલોડા અને ધનસુરા તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
ભિલોડાના ગોવિંદનગર વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોના ઘરવખરીને ભારે નુકશાન થયુ હતું .ભારે વરસાદ અને ઠેર ઠેર પાણી ભરાઇ જતા લોકોને ભારે મુશ્કેલી પડી હતી.
નાના બાળકો શાળાએ પણ જઈ શક્યા ન હોતા.ઘરમાં પાણી ભરાયા હોવાને કારણે ભોજન પણ બનાવી શક્યા ન હોતાઅતિશય પાણીનો ભરાવો થતા મચ્છરનો ઉપદ્રવ અને પાણી જન્ય રોગચાળો ન ફેલાય અને નગરજનો ની વ્હારે તંત્ર આવે અને ભરાયેલા પાણી નો નિકાલ કરે એવી રહીશોએ માંગ કરી હતી.