કોરોના સમયગાળા દરમિયાન વિશ્વને અલવિદા કહેનારા પ્રખ્યાત સંગીતકાર વાજિદ ખાનને ભૂલી જવું મુશ્કેલ છે. વાજિદના મોતથી બધાને આઘાત લાગ્યો છે, પરંતુ આ દુખદ ઘટનાની અસર તેની પત્ની કમલરૂખ ખાન પર સૌથી વધુ જોવા મળી છે.
વાજિદ ખાનની પત્ની કમલરૂખે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી હતી કે તેમને વાજિદના પરિવાર દ્વારા ઇસ્લામ ધર્મ અપનાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ તેઓ પતિના અવસાનની પીડામાંથી બહાર નીકળી શકી નથી, તો બીજી તરફ વાજિદના પરિવારજનો દ્વારા તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે.
તેમણે પોસ્ટમાં લખ્યું કે- વાજિદ ખાનની પત્ની કમલરૂખે લખ્યું છે: “મારું નામ કમલરૂખ ખાન છે અને હું સ્વર્ગીય સંગીતકાર વાજિદ ખાનની પત્ની છું. લગ્ન પહેલા હું તેની સાથે 10 વર્ષના સંબંધમાં હતી. હું પારસી છું અને તે મુસ્લિમ છે. હતા. અમને કોલેજ સ્વીટહાર્ટ કહેવાતા હતા. અમારે લગ્ન થયાં હતાં ત્યારે પણ અમે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કર્યા હતા.હું મારા લગ્નને ઇન્ટરકોટ કર્યા પછી ધર્મના આધારે કેવી રીતે ભેદભાવનો સામનો કરું છું તે અંગે મારો અનુભવ શેર કરવા માંગુ છું. કરવું પડશે, જે ખૂબ જ શરમજનક છે. “
વાજિદ ખાનની વાત કરીએ તો તેની તબિયત ખરાબ થતાં તેને 31 મે, 2020એ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને બીજા જ દિવસે એટલે કે 1 જૂન, 2020ના રોજ વાજિદ ખાનનું અવસાન થઈ ગયું. સાજિદ-વાજિદની જોડીએ બોલિવૂડમાં ઘણાં સુપરહિટ ગીતો આપ્યા હતા. દબંગ સીરિઝ, પાગલપંતી, હીરોપંતી, મેં તેરા હીરો, જુડવા 2, ચશ્મે બદૂર, હિંમતવાલા, એક થા ટાઇગર, હાઉસફુલ 2, વીર, વોન્ટેડ, ગોડ તુસી ગ્રેટ હો, વેલકમ, પાર્ટનર, તેરે નામ, હમ આપકે હૈ સનમ અને હેલો બ્રધર જેવી ફિલ્મો સામેલ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…