ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયાનાં સોશિયલ મીડિયા પરનાંં એક વીડિયોએ વિવાદ સર્જાયો છે. આ વીડિયોમાં વિજયવર્ગીયાએ ઈન્દોરમાં સરકારી અધિકારીઓને ધમકી આપતા કહ્યું હતું કે, “અમારા સંઘના અધિકારીઓ (અહીં) છે, નહીં તો આજે તે ઈંદોરમાં આગ લગાવી દેત.” ભાજપના મહામંત્રીનો આ વીડિયો ત્યારે સામે આવ્યો હતો, જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આંતરિક બેઠકો માટે સંગઠનના વડા મોહન ભાગવત અને તેના અન્ય ઉચ્ચ અધિકારીઓ શહેરમાં હતા. તે જ સમયે, આ સમગ્ર મામલાને મધ્યપ્રદેશ કોંગ્રેસ સેવાદળે ટ્વિટ કર્યું છે કે, પુત્ર પહેલા બેટિંગ કરે છે, પિતા હવે અગ લગાવવાની વાત કરે છે! આ ભાજપનું ચરિત્ર અને ચહેરો છે, પરંતુ તેમણે તે જાણવું જોઇએ કે હવે અહીં કોંગ્રેસની સરકાર છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આ વીડિયો શુક્રવારે બપોરે રેસિડેન્સી વિસ્તારમાં વિજયવર્ગીયાની આગેવાની હેઠળના ભાજપના સ્થાનિક જનપ્રતિનિધિઓનો છે. દરમિયાન, વિજયવર્ગીયાનો આક્ષેપ છે કે વહીવટ તંત્ર શહેરમાં વિકાસના નામે પક્ષપાતી અને રાજકીય દૂષિત સાથે કાર્યવાહી કરી રહ્યું છે.
આ મુદ્દે ભાજપના નેતાઓએ પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓને સીધી ચર્ચા માટે બોલાવ્યા હતા. પરંતુ તેઓ આવ્યા ન હતા. બાદમાં, જ્યારે કેટલાક જુનિયર સરકારી અધિકારીઓ વિરોધકારોની પાસે પહોંચ્યા ત્યારે વિજયવર્ગીયાએ ઉચ્ચ અધિકારીઓના વલણ પર તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી.
વાયરલ થયેલા વીડિયોમાં વિજયવર્ગીયાને એમ કહેતા સાંભળવામાં આવે છે કે, “શું તેઓ (ઉચ્ચ અધિકારીઓ) એટલા મોટા થઇ ગયા છે? તેઓને એટલું બધું મળ્યું છે? અધિકારીઓએ સમજી લેવું જોઈએ કે તેઓ જાહેર સેવક છે.”
નારાજ વિજયવર્ગીયાનું શાંત પાડવાની કોશિશ કરતી વખતે, વહીવટી અધિકારીએ ભાજપ મહામંત્રીને કહેતા સાંભળવામાં આવે છે કે તેમને ન તો ઉચ્ચ અધિકારીઓ સાથે ભાજપના નેતાઓના પત્રવ્યવહાર વિશે કોઈ માહિતી છે, ન તો તેમની સાથે કોઈ ચર્ચા છે.
વિફરેલા વિજયવર્ગીય વીડિયોમાં કહેતા સાંભળવામાં આવે છે કે, “ત્યાં કોઈ પ્રોટોકોલ છે કે નહીં? અમે સરકારી અધિકારીઓને લેખિત વિનંતી કરી રહ્યા છીએ કે અમે તેમને મળવા માંગીએ છીએ. શું તેઓ અમને જાણ કરશે કે તેઓ શહેરની બહાર છે?” “અમે આ બિલકુલ સહન નહીં કરીએ. અમારા સંઘના અધિકારીઓ (અહીં) છે, નહીં તો આજે તે ઈંદોરને આગ ચાંપી દેત.”
બીજી તરફ રાજ્યમાં શાસક કોંગ્રેસે વાયરલ થયેલા વીડિયોના આધારે ભાજપના મહામંત્રી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. રાજ્ય કોંગ્રેસના પ્રવક્તા નીલભ શુક્લાએ કહ્યું કે “વિજયવર્ગીયા સામે ફોજદારી કેસ દાખલ થવો જોઈએ, જેમણે સરકારને અધિકારીઓને શહેરમાં આગ લગાડવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.