Not Set/ ભરત પંડયા: રાહુલ ગાંધી જનતાની માંગે માફી

ભરત પંડયાએ જણાવ્યુ છે કે, કોંગ્રેસે ૪૧ વર્ષ સુધી સરદાર પટેલને ભારત રત્ન એવોર્ડ કેમ ન આપ્યો ? મોરારજીભાઈને વડાપ્રધાન પદેથી કેમ હટાવ્યા ? નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહને જેલમાં નાખવા સીબીઆઈ મારફત ષડયંત્ર કેમ કર્યા ?તેમની ૩ દિવસની મુલાકાત કેવી નાટયાત્મક અને હાસ્યાસ્પદ રહેશે ? તે ગુજરાતની જનતા જોશે. વધુમાં ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત […]

India
Gujarat BJP spokesperson Bharat Pandya ભરત પંડયા: રાહુલ ગાંધી જનતાની માંગે માફી

ભરત પંડયાએ જણાવ્યુ છે કે, કોંગ્રેસે ૪૧ વર્ષ સુધી સરદાર પટેલને ભારત રત્ન એવોર્ડ કેમ ન આપ્યો ? મોરારજીભાઈને વડાપ્રધાન પદેથી કેમ હટાવ્યા ?

નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહને જેલમાં નાખવા સીબીઆઈ મારફત ષડયંત્ર કેમ કર્યા ?તેમની ૩ દિવસની મુલાકાત કેવી નાટયાત્મક અને હાસ્યાસ્પદ રહેશે ? તે ગુજરાતની જનતા જોશે.

વધુમાં ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને નાટકીય અને હાસ્યાસ્પદ ગણાવી જણાવ્યુ છે કે, તેઓ જ્યાં જાય છે ત્યાં કોંગ્રેસ હારે છે. તેમના નેતૃત્વમાં કોંગ્રેસ ૨૮ જેટલી ચૂંટણીઓ હારી છે.

જ્યાં રાહુલ ગાંધી આવે છે ત્યાં કોંગ્રેસ જાય છે, નર્મદા યોજનાનો કોંગ્રેસે વિરોધ કેમ કરેલ ? ડેમનું કામ મોડું કેમ કરાવેલ ? વગેરેનો જવાબ આપી જનતાની માફી માંગે.