મુંબઈ
મુંબઈથી ફ્લાઈટમાં જનારા પ્રવાસીઓને મંગળવારે થોડી અડચણનો સામનો કરવો પડશે. મંગળવારે મુંબઈની છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ ૬ કલાક માટે બંધ રહેશે. આ ૬ કલાક દરમ્યાન ટેકઓફ કરનારી ફલાઈટના સમયમાં પણ ચેન્જ કરવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે મંગળવારે સવારે ૧૧ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી મેન્ટેનન્સનું કામ હોવાને લીધે એરપોર્ટ બંધ રહેશે. આ ૬ કલાક દરમ્યાન ટેકઓફ કરનારી ફલાઈટના શેડ્યુલ ટાઇમ પણ બદલવામાં આવ્યા છે.
જો કે સાંજના ૫ વાગ્યા પછી નિર્ધારિત સમયે કામકાજ ચાલુ થઇ જશે.
અત્રે ઉલ્લેખનીય છે, કે ૬ કલાક એરપોર્ટ બંધ કરવા મામલે એરપોટ દ્વારા પહેલેથી જ સુચના આપી દેવામાં આવી હતી.