હાઈ હાઈ/ કેજરીવાલના ઘરે તોડફોડ કરવા માટે ભાજપે કર્યું કાર્યકર્તાનું સન્માન : સોશિયલ મીડિયામાં એવી એવી કોમેન્ટ કરાઈ કે…..

ભાજપના પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં આરોપીઓનું સન્માન કરવામાં આવ્યું ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સ આ સન્માનને ટ્રોલ કરી રહ્યા છે.

Top Stories India
તોડફોડ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરમાં તોડફોડ કરનારા આરોપીઓને જામીન મળ્યા બાદ બીજેપીએ દિલ્હીમાં બીજેપી ઓફિસમાં તેમનું સન્માન કર્યું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં તોડફોડ કરનાર આરોપીઓનું સન્માન કરવામાં આવ્યું ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સ આ સન્માનને ટ્રોલ કરી રહ્યા છે.

આ અંગે રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત સિંહે કહ્યું કે, ‘ગુંડારાજ’ છે.

કોંગ્રેસના નેતા શેષ નારાયણ ઓઝાએ આ સમાચાર પર પ્રતિક્રિયા આપી અને ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ‘નયા ભારત…નરેન્દ્ર મોદી જીનો ડ્રીમ ઈન્ડિયા પ્રોજેક્ટ.’

સૂર્ય પ્રતાપ સિંહે ટિપ્પણી કરી કે ગુંડાગીરી, અરાજકતાનું આટલું અદ્ભુત સ્વાગત.. અભિનંદન, ન્યૂ ઈન્ડિયા.

પુનીત શર્મા નામના ટ્વિટર હેન્ડલ પરથી લખવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી બેરોજગાર યોજના.

આમ આદમી પાર્ટીના નેતા વૈભવ મહેશ્વરીએ બીજેપી પર નિશાન સાધતા લખ્યું કે આ તે ગુંડાઓ છે જેઓ કોઈના ઘરે જઈ અને ગુંડાગીરી કરવા બદલ ભાજપના નેતાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે એ ગુંડાઓની પાછળની લાઇનમાં ઉભા છે.

શુભમ શ્રીવાસ્તવ નામના ટ્વિટર યુઝરે ટિપ્પણી કરી કે, આ ભાજપની વાસ્તવિકતા છે. ભાજપમાં જોડાવાનો એકમાત્ર માપદંડ ગુંડાગીરીમાં પીએચડી હોવો છે.

આહાના પાઠકે લખ્યું કે, ‘જો આવું કૃત્ય વડાપ્રધાનના નિવાસની બહાર કરવામાં આવ્યું હોત તો અત્યાર સુધીમાં આટલા આંસુ આવી ગયા હોત. નોકરી નથી મળી શકતી, ગુંડાગીરી એ પકોડા તળવા સાથે નવું કામ છે.

કુલદીપ કાદ્યાને લખ્યું- આ ભાજપ છે, અહીં ગુંડાગીરી કરનારાઓને ઈનામ મળે છે.

આ પણ વાંચો : AAP સાંસદ હરભજન સિંહની જાહેરાત, રાજ્યસભાનો પગાર ખેડૂતોની દીકરીઓના ભણતર પાછળ ખર્ચાશે