ભાજપનાં રાજમાં ભાજપનાં જ સાંસદ દ્વારા ભષ્ટાચારની ફરિયાદ કરવામા આવી રહી છે, બોલો આનાથી વધારે ગુજરાતમાં પલપતા ભ્રષ્ટાચાર વિશે શું કહેવું. જી હા, ભાજપના ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણે, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખ્યો છે. પત્રમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી છે.
ખેડા જિલ્લા વિસ્તારના NRI લોકોને એરપોર્ટ આસપાસ ગૃહવિભાગના જ અધિકારીઓ દ્વારા પરેશાન કરતા હોવાની ફરિયાદ પત્રમાં કરવામાં આવી છે. ભાજપનાં સાંસદે પત્રમાં એરપોર્ટ આસપાસ ગૃહવિભાગનાં જ અધિકારીઓ તેમનાં વિસ્તારનાં લોકોની સાથે અણછાજતા વર્તન કરી અને ભ્રષ્ટાચાર આચરતા હોવાની ફરિયાદ કરી છે. તેમજ ગેર શિસ્ત અને ભ્રષ્ટાચાર સામે પગલા લેવા માટે રજૂઆત પણ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.