જમ્મુ-કાશ્મીરના પથ્થરબાજોને લઈને અવારનવાર બયાનબાજી આવતી રહેતી હોય છે પરંતુ ભાજપના રાજ્યસભાના સાંસદે એક મોટું બયાન આપ્યું છે.
હરિયાણા જિલ્લાના ભાજપના રાજ્યસભા સાંસદ ડીપી વત્સનું કહેવું છે કે મે પથ્થરબાજો વિરુદ્ધ નોંધાવેલા કેસને પાછો લેવાની વાત સાંભળી પરંતુ મારા ખ્યાલથી એમને ગોળી મારી દેવી જોઈએ.
બે કાર્યરત અને એક નિવૃત સેનાજવાનના બાળકો પ્રીતિ, કાજલે અમે પ્રભવ દ્વારા યાચિકામાં પૂછવામાં આવ્યું છે જે સુરક્ષાદળોના માનવાધિકારનું હનન થઇ રહ્યું છે શું તેમણે માનવાધિકારની રક્ષાવાળાઓની જરૂરત નથી?
આ સાથે બાળકોએ આ વાત પણ યાચિકામાં કહી છે કે ભારતના નાગરિક, યુવા અને ખાસકરીને એક સેનાના જવાનના બાળકોના નાતે ચિંતિત છે જેમની પોસ્ટીંગ આવા અશાંત વિસ્તારોમાં કરવામાં આવે છે.
આ યાચિકા પર કેન્દ્ર સરકારે માનવાધિકાર આયોગને જવાબ આપ્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કી રાજ્ય સરકાર દ્વારા પથથરબાજો વિરુદ્ધ જે કેસ દાખલ કર્યો છે તેને પાછો ખેંચવાથી ઘાટીમાં તૈનાત સુરક્ષાદળોનું મનોબળ નબળું પડી શકે છે.