આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર સોમવારની વેહલી સવારે એક મોટી દુર્ઘટના થઇ જેમાં 6 વિદ્યાર્થી સહિત 7 લોકોને બસે કચડી નાખ્યા. એક્સપ્રેસ હાઈવે પર કન્નૌજ જિલ્લા પાસે સવારના લગભગ ત્રણ-ચાર વાગતા આ ઘટના બની હતી.
આ દુર્ઘટનામાં 6 વિધાર્થી અને એક ટીચર હતાં જેમની ઘટનાસ્થળ પર જ મોત થઇ ગઈ હતી. જયારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ ગાડી ખરાબ થવાના કારણે એક્સપ્રેસ હાઈવે પર ઉભા હતાં ત્યારે ફૂલ સ્પીડમાં આવી રહેલી બસે આ લોકોને કચડી નાખ્યા હતાં. બધા લોકો સંત કબીર નગરના છે તેવું કહેવામાં આવી રહ્યું છે.
આ દુર્ઘટનાનો ભોગ બનેલ લોકોના પરિવારજનોને સરકાર 2-2 લાખ રૂપિયા અને ઘાયલ થયેલા લોકોના પરિવારજનોને 50-50 હજાર રૂપિયાની મદદ કરવાની વાત કહી છે. આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રીએ પ્રભા દેવી વિદ્યાલય, સંત કબીર નગરના 6 બી.ટી.સી.ના વિદ્યાર્થી તથા એક શિક્ષકની દુર્ઘટનામાં મોત થવાથી શોક વ્યક્ત કર્યો છે.