Not Set/ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા કોરોના સંક્રમિત,મુખ્યમંત્રીની રાજકોટ રેલીમાં હાજર હતા

ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે છેલ્લા  બે દિવસથી અનેક સેલેબ્સ સહિત રાજકીય નેતાઓ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે.

Top Stories Gujarat
bharat boghra ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા કોરોના સંક્રમિત,મુખ્યમંત્રીની રાજકોટ રેલીમાં હાજર હતા

પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાને કોરોના
રાજકોટ એક બાદ એક નેતાઓ થઇ રહ્યા છે કોરોના સંક્રમિત
ભરત બોઘરા મુખ્યમંત્રીની રાજકોટની રેલીમાં હાજર હતા
નીતિન ભારદ્વાજ, મનીશ ચાંગેલાને થયો છે કોરોના
રાજકોટ ભાજપમાં ચાર નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા

ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે છેલ્લા  બે દિવસથી અનેક સેલેબ્સ સહિત રાજકીય નેતાઓ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે,રાજકોટમાં મુખ્યમંત્રીના રોડ શો માં ભરત બોઘરા ઉપસ્થિત હતો ,રાજકોટમાં અનેક નેતાઓ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે. નીતિશ ભારદ્રાજ અને મનીશ ચાંગેલા કોરોના પોઝિટિવ મળ્યા છે. રાજકોટમાં 4 નેતા કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર  રવિવારે  6000થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર  કોરોનાના 6275 કેસ નોંધાય છે.  જેમાં અમદાવાદ તો ફરી એકવાર કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. રાજ્યમાં નોંધાયેલા કેસમાંથી લગભગ અડધા કેસ માત્ર અમદાવાદ ખાતે નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 2487 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 1263 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં વધતા કોરોના કેસને લઈ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 27913 છે. રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી.  રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,58,714 પહોંચ્યો  છે.  તો  રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,24,163 છે. રાજ્યમાં ઓમિક્રોનના એક પણ કેસ નોંધાયા નથી.