New Delhi : BJP આજે લોકસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. ભાજપ આ વખતે ભવ્ય જીત મેળવવા કયા વચનો આપશે તેના પર સમગ્ર દેશની નજર રહેશે. વિકસિત ભારતના સંકલ્પ અને મોદીની ગેરંટી દ્વારા ભાજપ પોતાનું વિઝન આગળ ધપાવશે. ભાજપ હેડક્વાર્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ઘણી વખત કહ્યું છે કે આ મોદીની ગેરંટી છે. મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી એવું માનવામાં આવે છે કે ભાજપનો સંકલ્પ પત્ર જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલા શક્તિના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આ સિવાય ભાજપ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પ પર ચૂંટણી ઢંઢેરા દ્વારા પોતાનું વિઝન પણ વ્યક્ત કરી શકે છે.
ભાજપે તેના મુખ્ય મુદ્દાઓ પહેલાથી જ પૂર્ણ કરી લીધા છે જેમાં રામ મંદિરનું નિર્માણ અને કલમ 370 હટાવવાની બાબત મહત્વપૂર્ણ છે. આ વચનો પૂરા કર્યા બાદ ભાજપ આ વખતે સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા, NRC, ગરીબોને પાકું મકાન આપવું, 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર બનાવવા સહિતના મુદ્દાઓને સામેલ કરી શકે છે. ભાજપનો લક્ષ્યાંક 400ને પાર કરવાનો છે અને આ માટે વિકાસ સૌથી મોટો એજન્ડા હશે.
આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી આજે પીપરીયામાં સભાને સંબોધશે, ત્રીજી વખત મધ્યપ્રદેશ આવશે
આ પણ વાંચો:ભાજપને સૌથી મોટુ દાન આપનાર મેઘા એન્જિનયરિંગ કંપની પર CBIની કાર્યવાહી
આ પણ વાંચો:ભારતમાં આરોગ્યની સ્થિતિ સુધારવા યોગ્ય વિશ્લેષણ અને પગલા લેવા જરૂરી: લેન્સેટ
આ પણ વાંચો:EVM પર વીડિયો બનાવવો ભારે પડ્યો! 2 ક્રિયેટર્સને નોટિસ મળી