Ahmedabad/ ધંધુકા નજીક ગોઝારો અકસ્માત સર્જાયો, 4 લોકોના ઘટનાસ્થળે મોત

સ્થાનિકોની મદદના કારણે કેટલાય લોકોના જીવ બચી શક્યા હતા. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને……….

Top Stories Gujarat
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 29 ધંધુકા નજીક ગોઝારો અકસ્માત સર્જાયો, 4 લોકોના ઘટનાસ્થળે મોત

Ahmedabad News: આજે સવારે ધંધુકા નજીક પીપળી વટામણ રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. દિવથી અમદાવાદ આવતા પરિવારની કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા છે તેમજ અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં 1 બાળકનો પણ સમાવેશ થાય છે. એમ્બ્યુલન્સ મારફતે ઘાયલોને હોસ્પિટલ સારવાર માટે અમદાવાદમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

અમદાવાદના ધંધુકા નજીક પીપળી વટામણ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. દિવથી અમદાવાદ આવતા એક પરિવારની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. કારમાં 8 લોકો બેઠા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. જેમાંથી 4 લોકોના મોત નિપજ્યા છે તેમજ અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં 1 બાળકનો પણ સમાવેશ થાય છે. મૃતકો અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે.

સ્થાનિકોની મદદના કારણે કેટલાય લોકોના જીવ બચી શક્યા હતા. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે મૃત્યુ પામેલાઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાઓની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં કાળઝાળ ગરમીનો આતંક, 40 ડિગ્રી પંહોચેલ તાપમાનમાં આવશે પલટો

આ પણ વાંચો: Surat Case/સુરતમાં નોકરીની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો: Gujarat-Engineering/ગુજરાતની એન્જિનિયરિંગ સેક્ટરની નિકાસ વધીને એક લાખ કરોડ રૂપિયાની ન