બ્લાસ્ટ/ મુંબઈમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS રણવીર પર બ્લાસ્ટ, 3 જવાનો શહીદ,અનેક ઇજાગ્રસ્ત

યુદ્ધ જહાજ INS રણવીર પર મુંબઈમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં નેવીના ત્રણ જવાનોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે

Top Stories India
8 14 મુંબઈમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS રણવીર પર બ્લાસ્ટ, 3 જવાનો શહીદ,અનેક ઇજાગ્રસ્ત

ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS રણવીર પર મુંબઈમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં નેવીના ત્રણ જવાનોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ ઘટના અંગે, ભારતીય નૌકાદળના અધિકારીએ જણાવ્યું હતું કે, “આજે નેવલ ડોકયાર્ડ મુંબઈમાં એક કમનસીબ ઘટના બની; INS રણવીરના આંતરિક ડબ્બામાં થયેલા વિસ્ફોટમાં નેવીના 3 જવાનો શહીદ થઇ ગયા છએ. જહાજના ક્રૂએ તરત જ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

 

 

 

INS રણવીર નવેમ્બર 2021 થી પૂર્વીય નૌકા કમાન્ડ તરફથી ક્રોસ કોસ્ટ ઓપરેશનલ જમાવટ પર હતું અને ટૂંક સમયમાં બેઝ પોર્ટ પર પરત આવવાનું હતું. આ મામલે તપાસ માટે બોર્ડ ઓફ ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક નેવી હોસ્પિટલમાં 11 જવાનોની સારવાર ચાલી રહી છે.