કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે ફરી એકવાર નવો વિવાદ ઉભો થઈ શકે છે. આ વિવાદ મોટાભાગે ટ્વિટર એકાઉન્ટમાંથી ‘બ્લુ ટિક’ હટાવવાનો છે. શનિવારે સવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લુ ટિકને હટાવી દેવામાં આવ્યું હતું અને હવે આરએસએસના વડા મોહન ભાગવતનું એકાઉન્ટ પણ અનવેરિફાઈડ કરવામાં આવ્યું છે. જોકે, વેંકૈયા નાયડુના એકાઉન્ટ પર બે કલાક બાદ ફરી વેરિફાઈડ કરવામાં આવી. પરંતુ સંઘના વડા સહિત આરએસએસના ઘણા નેતાઓના એકાઉન્ટમાંથી બ્લુ ટિક દૂર કરવામાં આવ્યું છે.
હકીકતમાં, છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર વચ્ચે નવા આઇટી નિયમોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં, ત્યારે હોબાળો મચી ગયો હતો જ્યારે ટ્વિટરે પ્રથમ વખત ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના અંગત ટ્વિટર હેન્ડલથી વેરિફાઈડ બ્લુ ટિકને પાછું ખેંચી લીધું હતું. જો કે, થોડા સમય પછી તેમના એકાઉન્ટની ફરીથી વેરિફાઈડ થઈ. પરંતુ હવે સંઘના વડાના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવાને લઇને હોબાળો થઈ શકે છે.
આ પણ વાંચો : ટ્વિટરે ભૂલ સ્વીકારી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના એકાઉન્ટ ફરી વેરિફાઇડ કર્યું
મોહન ભાગવત પહેલાં આર.એસ.એસ. ના ઘણા મોટા નેતાઓના એકાઉન્ટ પર પણ ટ્વિટર દ્વારા અનવેરિફાઇડમાં આવ્યા હતા. જેમાં સુરેશ સોની, સુરેશ જોશી અને અરૂણ કુમાર જેવા નેતાઓ શામેલ છે.
આ પણ વાંચો :પોતાના દાવા પર અડગ ચીન, વુહાન લેબ માંથી વાયરસ લીક થવાની વાતે ભણ્યો નનૈયો, ગણાવ્યું ષડયંત્ર
આ પણ વાંચો :યુ ટ્યુબ ચેનલ બહાને હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ સાથે છેતરપિંડી, જાણો શું છે સમગ્ર મામલો