ઇકોનોમિસ્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ગ્લોબલ ડેમોક્રેસી ઈન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ ખૂબ જ ઘટ્યું છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ભારત 10 સ્થાન નીચે આવી ગયું છે. ભારતનાં રેન્કિંગમાં ઘટાડો થયા બાદ વિપક્ષે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે ગુરુવારે ભારત પર લોકશાહી સૂચકાંકમાં 10 સ્થાન નીચે આવવા પર આરોપ લગાવ્યો હતો કે વર્તમાન સરકારમાં લોકશાહી સંસ્થાઓ શક્તિવિહીન રહી છે અને સત્તામાં રહેલા લોકો અસલી ‘ટુકડે-ટુકડે ગેંગ’ છે.
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ટ્વીટ કર્યું હતું કે લોકશાહી સૂચકાંકમાં ભારત 10 સ્થાન નીચે આવી ગયું છે. છેલ્લાં બે વર્ષનાં રાજકીય વિકાસ ઉપર નજર રાખનાર કોઈપણ વ્યક્ત તે જાણે છે કે, લોકશાહીને કચડી નાખવામાં આવેલ છે અને લોકશાહી સંસ્થાઓ શક્તિવિહીન કરવામા આવી છે. તેમણે આરોપ લગાવ્યો, ‘જે લોકો સત્તામાં છે તે વાસ્તવિક ટુકડે-ટુકડે ગેંગ છે. ચિદમ્બરમે કહ્યું કે, ભારત જે દિશામાં આગળ વધી રહ્યું છે તેનાથી સમગ્ર વિશ્વ પણ ચોંકી ગયુ છે. દરેક દેશભક્ત ભારતીયએ ચિંતિત થવું જોઈએ.
આ અગાઉ કોંગ્રેસનાં નેતા અભિષેક મનુ સિંઘવીએ 2014 બાદ લોકશાહીંમાં ઘટાડા બાદ મોદી સરકાર પર ઉગ્ર હુમલો કર્યો હતો. તેમણે લોકશાહી સૂચકાંકમાં ઘટાડાનાં ચાર કારણો પણ ટાંક્યા. સિંઘવીએ કહ્યું કે, ત્યાં 4 માપદંડ છે જે 2014 થી બદલાયા છે. 1- ડર? રાજકીય દુરૂપયોગ, સરકારી મશીનરીનો દુરુપયોગ, 2- અસહિષ્ણુતા દરેક માણસને એક રંગમાં રંગવુ, વિદ્યાર્થીઓ પર હુમલો ?, 3- દ્વેશ અને વેરની લાગણી, 4- સામાજિક, સાંસ્કૃતિક એકરૂપતા, બધું એક સરખુ હોવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન