જામનગર,
જામનગરના દરિયાઇ વિસ્તારમાં મરીન પોલીસે છેલ્લ ઘણા સમયથી પેટ્રોલિંગ બંધ કરી દીધું છે. આથી સુરક્ષાને લઇને ચિંતા જન્મી છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા પેટ્રોલિંગ માટે પૈસા ન ફાળવતા મરિન પોલીસે પેટ્રોલિંગ બંધ રાખ્યું છે.
હવે સવાલએ ઉઠે છે કે, શું સરકારને દેશની સુરક્ષાને લઇને કોઇ ચિંતા નથી. સરકાર દ્વારા દર વર્ષે કાર્નીવલ.કાઇટફેસ્ટિવ. વાઇબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમમાં લાખો કરોડો રૂપિયા ખર્ચ કરે છે. તો પછી દરિયાઇ સુરક્ષા પર કેમ સરકાર આખ આડા કાન કરે છે. દરિયાઈ પેટ્રોલિંગ બંધ હોવું તે દેશના દરિયાઈ સિમાડા કેટલા સુરક્ષિત છે તે માટે ઘણું બધું કહી જાય છે. સરકારે ફાળવેલી ત્રણ બોટ દ્વારા જામનગરમાં દરિયામાં પેટ્રોલિંગ કરવામાં છે. હવે તો તેમાં પણ ડિઝલ ન હોવાથી તે પણ બંધ હાલતમાં છે. આથી ત્યાના લોકોએ પણ રોષ વ્યક્ત કર્યો હતો.