આમંત્રણ/ બ્રિટનના PM બોરિસ જોન્સન ટૂંક સમયમાં ભારત આવશે,પ્રધનમંત્રીનું આમંત્રણ સ્વીકાર્યું

બોરિસ જોનસન અગાઉ આ વર્ષે જાન્યુઆરીમાં ગણતંત્ર દિવસની પરેડના મુખ્ય અતિથિ તરીકે ભારત આવવાના હતા, પરંતુ કોરોના રોગચાળાની સ્થિતિને કારણે તેમની મુલાકાત રદ કરવામાં આવી હતી

Top Stories World
ODI 1 બ્રિટનના PM બોરિસ જોન્સન ટૂંક સમયમાં ભારત આવશે,પ્રધનમંત્રીનું આમંત્રણ સ્વીકાર્યું

બ્રિટેનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભારત મુલાકાત માટેના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ મંગળવારે જણાવ્યું હતું કે, બ્રિટિશ વડા પ્રધાન સંજોગો પરવાનગી મળતાં જ તેમની મુલાકાતનું આયોજન કરશે. PM મોદીએ સોમવારે બોરિસ જ્હોન્સનને COP26 ક્લાઈમેટ સમિટની બાજુમાં આમંત્રણ આપ્યું હતું. બંને નેતાઓએ ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એન્ડ ક્લિન ટેક્નોલોજી, અર્થતંત્ર અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી.

બોરિસ જોનસન અગાઉ આ વર્ષે જાન્યુઆરીમાં ગણતંત્ર દિવસની પરેડના મુખ્ય અતિથિ તરીકે ભારત આવવાના હતા, પરંતુ કોરોના રોગચાળાની સ્થિતિને કારણે તેમની મુલાકાત રદ કરવામાં આવી હતી. ગ્લાસગોમાં COP26 સમિટમાં મોદી અને બોરિસ જ્હોન્સન વચ્ચેની મુલાકાત બ્રિટિશ વડા પ્રધાનની બે વખત ભારત મુલાકાત રદ થયા પછી બંને નેતાઓ વચ્ચેની પ્રથમ વ્યક્તિગત વાતચીત હતી.

બંને નેતાઓએ જળવાયુ પરિવર્તનને ઘટાડવા માટે દ્વિપક્ષીય સહયોગ સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. આ વાર્તાલાપ દરમિયાન વડા પ્રધાન મોદીએ જ્હોન્સનને ટૂંક સમયમાં ભારતમાં આવકારવાની તેમની ઈચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો, એમ એક સત્તાવાર રિલીઝમાં જણાવાયું છે.  વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ પુષ્ટિ કરી કે બ્રિટિશ વડા પ્રધાને આમંત્રણ સ્વીકાર્યું છે.

વડાપ્રધાન મોદીએ COP26નું સફળતાપૂર્વક આયોજન કરવા અને આબોહવા પરિવર્તન ઘટાડવા અને અનુકૂલન માટે વૈશ્વિક પગલાંને સમર્થન આપવા બદલ જોન્સનને પણ અભિનંદન પાઠવ્યા હતા.