Not Set/ પાટણમાં સગી બહેને જ ભાઇ અને માસૂમ ભત્રીજીની ઠંડા કાળજે કરી હત્યા, કારણ જાણી ચોંકી જશો આપ

અમદાવાદ શહેરનાં થલતેજ વિસ્તારમાં સૂરધારા સર્કલ પાસેની મણિપુષ્પ સોસાયટીમાં રહેતા પાટણાનાં મૂળ વતની જીગર અને માસૂમ પૌત્રી માહીને તેની જ ડૉક્ટર બહેને મૌતની નિંદર આપી દીધી છે. પાટણમાં સગી બહેને જ સગા ભાઈ અને ભત્રીજીની ઠંડા કલેજે હત્યા કરી હોવાની ઘટના સામે આવતા લોકો ચોંકી ગયા છે. હકીકતમાં એક માસ અગાઉ પુત્ર અને ભત્રીજીનું રહસ્યમય […]

Top Stories Ahmedabad Gujarat
content image a148e580 a723 4c49 b3ad 06984b20dd3a પાટણમાં સગી બહેને જ ભાઇ અને માસૂમ ભત્રીજીની ઠંડા કાળજે કરી હત્યા, કારણ જાણી ચોંકી જશો આપ

અમદાવાદ શહેરનાં થલતેજ વિસ્તારમાં સૂરધારા સર્કલ પાસેની મણિપુષ્પ સોસાયટીમાં રહેતા પાટણાનાં મૂળ વતની જીગર અને માસૂમ પૌત્રી માહીને તેની જ ડૉક્ટર બહેને મૌતની નિંદર આપી દીધી છે. પાટણમાં સગી બહેને જ સગા ભાઈ અને ભત્રીજીની ઠંડા કલેજે હત્યા કરી હોવાની ઘટના સામે આવતા લોકો ચોંકી ગયા છે. હકીકતમાં એક માસ અગાઉ પુત્ર અને ભત્રીજીનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું. જે બાદ પિતાને પોતાની પુત્રી પર શંકા ગઈ હતી. જ્યારે પિતાએ આ મામલે પુત્રીની ઉલટ તપાસ કરી તો પુત્રીએ પિતા સમક્ષ હત્યાની કબૂલાત કરી દીધી હતી. અને પછી પુત્રીએ પિતાને જે જણાવ્યું તે જાણીને તમારા હોંશ ઉડી જશે.

જીગર અને તેની માસૂમ પુત્રીની મોતમાં તેની બહેન કિન્નરી પર તેના પિતા નરેન્દ્રભાઇ પટેલને શંકા ગઈ હતી. જેથી તેમણે પેલીસમાં ફરિયાદ કરી દીધી હતી. જેમાં તપાસ દ્વારા ખુલાસો થયો કે, કિન્નરીએ જ પોતાના ભાઈને ગ્લુકોઝમાં ધતૂરાનો રસ અને ત્યાર બાદ ઝેર આપ્યું હતું. એટલું જ નહિ, તેણે 14 માસની માહીને પણ ઝેર પીવડાવી દીધુ હતુ. જાણીને નવાઇ લાગશે પણ કિન્નરી પટેલે બીડીએસ ડેન્ટલનો અભ્યાસ કર્યો છે. અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી. એટલે તે ધતૂરાનાં રસની અસરથી સારી રીતે જાણીતી હતી. ધતૂરાનાં રસની અસરથી જાણીતી હોવાના કારણે તે છેલ્લા 7 મહિનાથી ભાઈ જીગર અને ભત્રીજી માહીને ગ્લુકોઝમાં ધતૂરાનો રસ મિક્સ કરીને આપતી હતી.

કિન્નરીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘જીગરભાઇને હું અવારનવાર ધતુરાનાં ફૂલનાં બીજ પાણીમાં ઉકાળીને ગ્લુકોઝમાં ભેળવીને આપતી હતી. તેથી તે પહેલા જ ગાંડા જેવા થઇ ગયા હતા. આ સિવાય જ્યારે તે કલાણા ગયા તે વખતે પણ તેમની બોટલમાં આ જ પાણી હતું. જ્યારે તેમને ખાટલામાં સુવડાવ્યાં હતા તે દરમિયાન પણ તેમના મોંમાં ઝેરી દવાની કેપ્સુલ મુકી દીધી હતી. ભૂમિ ભાભીને પણ આવું જ પાણી પીવડાવતી હતી. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે તેણે માસૂમ માહીને પણ પોતાનો શિકાર બનાવી હતી. તેણે કહ્યુ કે, જ્યારે માહી ઘોડિયામાં સૂતી હતી ત્યારે તેના મોઢામાં મે ઝેરી દવા મુકી દીધી હતી.’ આ બધુ તેણે ઘણી સૂજસમજથી કર્યુ હતુ.

નવાઇની વાત તો એ છે કે આ હત્યા કર્યા બાદ તેને રંજ ન હતો. તે આખા પરિવારને ખતમ કરવાની ફિરાકમાં હતી. તે પોતાના પપ્પા, બહેન અને બનેવીને પણ મારી નાંખવાનું પ્લાનિંગ કરી રહી હતી. જેના માટે તેણે ત્રણ કેપ્સ્યુલ પણ તૈયાર રાખી હતી. પરિવારમાં માન-સન્માન ન મળતુ, સામાજીક અસંતોષનાં કારણે કિન્નરીએ તેના સગા ભાઇ અને ભત્રીજીની હત્યા કરવાનું સામે આવ્યુ છે. પોલીસે આ મામલે કિન્નરીની ધરપકડ કરી તેના સાત દિવસનાં રિમાન્ડ માંગ્યા છે.

ડૉક્ટર હોવા છતા આ પ્રકારની માનસિકતા ધરાવતી કિન્નરીને કાયદો પોતાનુ કામ કરતા પાઠ ભણાવશે પરંતુ જે ઘરમાં સગી બહેન જ પોતાના ભાઇ અને ભત્રીજીને માત્ર એક સમ્માન ન મળતુ હોવાના કારણે હત્યા કરી બેશે ત્યારે તે પરિવારની હાલત કેવી હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.