વડોદરા શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોટી દુર્ઘટના બની છે. બ્રિજ પર સોલાર પેનલ માટે બાંધેલ પાલક તૂટી પડી છે. આ પાલક તૂટી પડવાથી 3 જેટલા મજૂરો દબાયા પાલકના કાટમાળની નીચે દટાયા હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાન થતા જ ફાયર વિભાગનો કાફલો તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને દટાયેલા મજુરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. દટાયેલા મજુરો બહાર કાઢી ણે તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં એક મજુરની હાલત ગંભીર જોવા મળી રહી છે.
ઉલેખનીય છે કે, દુર્ઘટના સમયે સ્થળ પર ૨૨ જેટલા મજુરો કાર્યરત હતા. આ મજુરો કોઇપણ સેફટીનાં સાધનો વિના કામ કરી રહ્યાં હતાં. જયારે પાલકની નીચે રોડ પણ ચાલુ હતો. મજુરો અહીં સોલાર પેનલની શીટ લગાવવાની કામગીરી કરી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.