Dharma News: બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવી અતિ શુભ ગણાય છે. બુધવારે ગ્રહોના રાજકુમાર ભગવાન બુધની પણ પૂજા કરવામાં આવે છે. કુંડળીમાં બુધ ગ્રહને બળવાન બનાવવા માટે જ્યોતિષ શાસ્ત્ર બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાની સલાહ આપે છે. એક ધાર્મિક માન્યતા છે કે ભગવાન ગણેશની પૂજા કરવાથી આવક અને સૌભાગ્ય વધે છે. તેમજ શુભ કાર્યોમાં સફળતા મળે છે.
જો તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો દર બુધવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી વિધિ-વિધાન પ્રમાણે ભગવાન ગણેશની પૂજા કરો. આ સમયે ભગવાન ગણેશને શમીના પાન ચઢાવો. આરતી કર્યા પછી શમીના પાનને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી આવક વધવા લાગશે.
કરિયર અને બિઝનેસમાં પ્રગતિ ઈચ્છતા હોવ તો બુધવારે વિધિપૂર્વક પૂજા કર્યા પછી આખા લીલા મગનું દાન કરો. આ ઉપાય દર બુધવારે કરો. આમ કરવાથી કુંડળીમાં બુધ બળવાન બને છે. આનાથી ધંધામાં અચાનક વૃદ્ધિ થાય છે.
ઈચ્છિત પરિણામ મેળવવા ઈચ્છતા હોવ તો આ દિવસે તમારા કામકાજના સ્થળ પર ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો.
જો તમે નબળા બુધને મજબૂત કરવા માંગો છો, તો બુધવારે ભગવાન ગણેશની સાથે દેવી ગૌરીની પૂજા કરો. ઓછામાં ઓછા 16 બુધવાર સુધી આ ઉપાય કરો. આમ કરવાથી સાધકને ઈચ્છિત ફળ મળે છે. આ ઉપાય કરવાથી કુંડળીમાં શુક્ર બળવાન બને છે.
આ પણ વાંચો:વરુથિની અગિયારસનું મહત્વ જાણો, ક્યારે વ્રત કરવામાં આવશે
આ પણ વાંચો:
આ પણ વાંચો: