અમદાવાદના મણીનગરમાં આવલે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પી.પી. સ્વામીની તબિયત વધુ બગડી હોવાની માહિતી મળી રહી છે. તેઓને પહેલા ફેફસામાં ઇન્ફેક્શન થયું હતું, જે બાદ કિડનીમાં પણ ઇન્ફેક્શન થતાં તબિયત વધુ લથડી છે.
આપને જણાવી દઈએ કે અમદાવાદના મણિનગર મંદિર ગાદીના ગાદીપતિ આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજીની સ્થિતિ કોરોનાના પગલે ગંભીર થઇ ચુકી છે. સ્વામીને કોરોનાને કારણે ફેફસાંમાં ભારે ઈન્ફેક્શન સર્જાયું છે. મહત્વની વાત એ છે કે, આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી મહારાજને છેલ્લા 10 દિવસથી અમદાવાદની ખાનગી સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ આચાર્યને શ્વાસમાં થયેલી સમસ્યાને પગલે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
મહત્વનું છે કે આચાર્ય સ્વામીના ઈલાજ માટે ખાસ મુંબઇથી નિષ્ણાંત ડોક્ટર બોલવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.