![DCGI એ કોરોના સંક્રમિતોની સારવાર માટે Itolizumab ઇન્જેક્શનને આપી મંજૂરી 3 f643987f54e643b82572af7f4e74dff6 DCGI એ કોરોના સંક્રમિતોની સારવાર માટે Itolizumab ઇન્જેક્શનને આપી મંજૂરી](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/07/f643987f54e643b82572af7f4e74dff6.jpg)
ભારતમાં કોરોનાવાયરસ ઝડપથી પગ પેસારી રહ્યો છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થયા પછી, ઘણા રાજ્યોમાં લોકડાઉનની અવધી પણ લંબાવવામાં આવી છે. દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ હવે કોરોનાની રસીની રાહ જોઇ રહ્યુ છે. આ વચ્ચે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ કોવિડ દર્દીઓ માટે ઇટોલિઝુમેબ ઇન્જેક્શનને મંજૂરી આપી દીધી છે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેનો ઉપયોગ ફક્ત કટોકટીની પરિસ્થિતિઓમાં થવો જોઇએ.
માહિતી અનુસાર, ઇટોલિઝુમેબ ઇન્જેક્શનનાં પરિણામો અનેક ટેસ્ટમાં સંતોષકારક થયા પછી ડીસીજીઆઈએ મંજૂરી આપી છે. આવી સ્થિતિમાં, કોરોના સંક્રમિતો માટે બીજી આશાની કિરણ દેખાઇ રહી છે. આ ઇન્જેક્શનનો ઉપયોગ PSORIASIS નાં દર્દીઓની સારવાર માટે ઘણા વર્ષોથી કરવામાં આવે છે. જેનું ઉત્પાદન બાયોકોન લિમિટેડની દવા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.