- જેડીયુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું નિધન (Sharad Yadav passed away)
- 75 વર્ષની વયે શરદ યાદવે અંતિમ શ્વાસ લીધા
- શરદ યાદવની પુત્રીએ ટ્વિટથી જાણકારી આપી
- વાજપેયી સરકારમાં મંત્રી રહી ચૂકયા છે યાદવ
- લાંબા સમયથી રાજનીતિથી હતા દૂર
Sharad Yadav passed away: જેડીયુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું નિધન થઇ ગયું છે. શરદ યાદવની પુત્રી શુભાશિની યાદવે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેઓ 75 વર્ષના હતા. શુભાશિનીએ પોતાના ટ્વીટમાં લખ્યું, ‘પાપા ઈઝ નો મોર.
पापा नहीं रहे 😭
— Subhashini Sharad Yadav (@Subhashini_12b) January 12, 2023
જેડીયુના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું નિધન થયું છે. શરદ યાદવની પુત્રીએ આ અંગે માહિતી આપી છે. શરદ યાદવની ગણતરી બિહારના દિગ્ગજ નેતાઓમાં થાય છે. તેમણે 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. શરદ યાદવની તબિયત ઘણા સમયથી ખરાબ ચાલી રહી હતી, ત્યારબાદ તેમને ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 2002માં જનતા દળની રચના થયા બાદ શરદ યાદવ ઘણા વર્ષો સુધી પાર્ટીના અધ્યક્ષ હતા. આ સાથે તેઓ સાત વખત લોકસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. તબિયત અને અનેક કારણોસર તેઓ છેલ્લા કેટલાક સમયથી સક્રિય રાજકારણમાં જોવા મળ્યા ન હતા.
ઉલ્લેખનીય છે કે શરદ યાદવનો જન્મ 1 જુલાઈ 1947ના રોજ મધ્ય પ્રદેશના હોશંગાબાદના બંધાઈ ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. ખેડૂતના ઘરમાં જન્મેલા શરદ વાંચન અને લખવામાં ખૂબ જ ઝડપી હતા. વિદ્યાર્થી રાજનીતિમાંથી રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની ઓળખ બનાવનાર શરદ યાદવે બિહારના રાજકારણમાં પણ મોટું સ્થાન હાંસલ કર્યું હતું. શરદ યાદવે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પછી બિહારમાં પોતાનો રાજકીય પ્રતાપ જીત્યો હતો.