Not Set/ ત્રિપુરા CM  બિપ્લબ દેબે માંગી માંફી, પંજાબી અને જાટ સમુદાય પર કરી હતી ટિપ્પણી

પંજાબી અને જાટ સમુદાય પર વિવાદિત નિવેદનો આપનારા ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લબ કુમાર દેબે સ્પષ્ટતા આપી છે. સીએમ બિપ્લબ કુમાર દેબે કહ્યું કે અગરતલા પ્રેસ ક્લબ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં મેં મારા પંજાબી અને જાટ ભાઈઓ વિશે કેટલાક લોકોની વિચારસરણીનો ઉલ્લેખ કર્યો હતો. મારી ધારણ કોઈ સમાજને નુકસાન પહોંચાડવાની નહોતી. સીએમ બિપ્લબ કુમાર દેબે કહ્યું […]

India Uncategorized
24fa540ca524839fe645bcb886afcb55 ત્રિપુરા CM  બિપ્લબ દેબે માંગી માંફી, પંજાબી અને જાટ સમુદાય પર કરી હતી ટિપ્પણી
24fa540ca524839fe645bcb886afcb55 ત્રિપુરા CM  બિપ્લબ દેબે માંગી માંફી, પંજાબી અને જાટ સમુદાય પર કરી હતી ટિપ્પણી

પંજાબી અને જાટ સમુદાય પર વિવાદિત નિવેદનો આપનારા ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લબ કુમાર દેબે સ્પષ્ટતા આપી છે. સીએમ બિપ્લબ કુમાર દેબે કહ્યું કે અગરતલા પ્રેસ ક્લબ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં મેં મારા પંજાબી અને જાટ ભાઈઓ વિશે કેટલાક લોકોની વિચારસરણીનો ઉલ્લેખ કર્યો હતો. મારી ધારણ કોઈ સમાજને નુકસાન પહોંચાડવાની નહોતી.

સીએમ બિપ્લબ કુમાર દેબે કહ્યું કે મને પંજાબી અને જાટ બંને સમુદાયો પર ગર્વ છે. હું ખુદ લાંબા સમયથી તેમની વચ્ચે છું. મારા ઘણા અભિન્ન મિત્રો આ સમાજમાંથી આવે છે. જો મારા નિવેદનથી કોઈની લાગણી દુભાય છે, તો હું તે માટે વ્યક્તિગત રૂપે માફી માંગું છું.