દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મીડિયા માણસો સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, દેશની દરેક સરકાર કેન્દ્રનાં સહયોગથી તેમના રાજ્યનાં ગરીબ લોકોને રાશનનું વિતરણ કરે છે. દેશમાં રાશન વિતરણ શરૂ થયું ત્યારથી ગરીબ લોકોને રાશન મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યારેક તમને દુકાન બંધ મળે છે, તો ક્યારેક ભેળસેળ મળે છે, તો ક્યારેક વધારે પૈસા લેવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં અમે રાશનની સિસ્ટમમાં ઘણા સુધારા કર્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, આજે આપણા કેબિનેટ દ્વારા સવારે 11 વાગ્યે લીધેલા નિર્ણયો કોઈ ક્રાંતિકારી નિર્ણયથી ઓછા નથી. આજે અમે દિલ્હીમાં રાશનની ડોર સ્ટેપ ડિલીવરી કરવાની યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનું નામ ‘મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજના‘ હશે. હવે લોકોને આ યોજના અંતર્ગત રાશનની દુકાન પર આવવું નહીં પડે, પરંતુ લોકોને આદર સાથે આ રાશન વહન કરવામાં આવશે. એફસીઆઈ ગોડાઉનમાંથી ઘઉં લેવામાં આવશે અને લોટ પીસવામાં આવશે. ચોખા અને ખાંડ વગેરેની પણ પેકિંગ કરવામાં આવશે અને લોકોને ઘરે ઘરે જઈને પહોંચાડવામાં આવશે. સીએમ કેજરીવાલે કહ્યું, “લોકોને વિકલ્પ આપવામાં આવશે કે, જે કોઈ પણ દુકાન પર જઇને રાશન મેળવવા માંગે છે તે દુકાનમાં જઇ શકે છે અને જો તેમને ઘરની ડિલીવરી જોઈતી હોય તો તેઓ તે વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. આગામી 6 થી 7 મહિનામાં હોમ ડિલિવરી રાશન શરૂ થશે. હોમ ડિલેવરીમાં ઘઉંને બદલે લોટ આપવામાં આવશે. જે દિવસે દિલ્હીમાં રાશનની હોમ ડિલિવરી શરૂ થશે, તે જ દિવસે દિલ્હીમાં વન નેશન વન રાશનકાર્ડની યોજના લાગુ કરવામાં આવશે.
Our Cabinet has approved ‘Mukhya Mantri Ghar Ghar Ration Yojana’, beneficiaries can avail door-step delivery of ration: Delhi Chief Minister Arvind Kejriwal pic.twitter.com/6a3Vmm6XwG
— ANI (@ANI) July 21, 2020