Not Set/ દિલ્હીમાં કેજરીવાલ એ જ કરી રહ્યા છે જે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ કર્યું : ગૌતમ ગંભીર

 ભાજપના સાંસદ ગૌતમ ગંભીરએ ગુરુવારે કહ્યું કે દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ જ કરી રહ્યા છે, જે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ જે કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાશનકાર્ડ જારી કરતી વખતે આમ આદમી પાર્ટીએ બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને વોટબેંકની રાજનીતિ માટે સમર્થન આપ્યું છે. પૂર્વ દિલ્હીના સાંસદ ગંભીરએ શહેરમાં સમસ્યાઓ સામે લડવા માટે આપ […]

India
c070d71b9b5771acd66b4e345653decd 3 દિલ્હીમાં કેજરીવાલ એ જ કરી રહ્યા છે જે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ કર્યું : ગૌતમ ગંભીર
 ભાજપના સાંસદ ગૌતમ ગંભીરએ ગુરુવારે કહ્યું કે દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ જ કરી રહ્યા છે, જે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ જે કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાશનકાર્ડ જારી કરતી વખતે આમ આદમી પાર્ટીએ બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને વોટબેંકની રાજનીતિ માટે સમર્થન આપ્યું છે.

પૂર્વ દિલ્હીના સાંસદ ગંભીરએ શહેરમાં સમસ્યાઓ સામે લડવા માટે આપ સરકારની ‘ગંભીરતા’ પર સવાલ ઉઠાવ્યા હતા અને એવો આરોપ લગાવ્યો હતો કે પાટનગરમાં જળસંચય અંગે ચર્ચા કરવા માટે જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓ મનપા વિકાસ સમિતિની બેઠકમાં ગેરહાજર હતા.

ગૌતમ ગંભીર અને દિલ્હી વિધાનસભાના વિપક્ષી નેતા રામવીર બિધૂરીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે દિલ્હી સરકારે ગરીબો માટે પ્રધાન ગરીબ કલ્યાણ યોજનાનું નામ બદલીને મુખ્યમંત્રીની ડોર-ટુ-ડોર રેશન યોજના શરૂ કરી છે. આમ આદમી પાર્ટી તરફથી આક્ષેપો અંગે કોઈ પ્રતિક્રિયા મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.