રાજયમાં હવે રાજકીય નેતાઓ, સેલિબ્રિટીઓ પણ સતત કોરોનાના ઝપેટમાં આવી રહ્યાં છે.કોરોનાનાં સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ મનપાના વધુ એક કાઉન્સિલર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ખાડિયાના કાઉન્સિલર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ખાડિયાના કાઉન્સિલર મયુર દવેના સંપર્કમાં આવ્યા હતાં ત્યાર બાદ કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો.
આપને જણાવી દઈએ કે, ખાડિયાના કાઉન્સિલર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટને કોરોના થયા બાદ ખાડિયાના પૂર્વ કાઉન્સિલર ભૂષણ ભટ્ટ હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધી 20થી વધુ કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.
આ પહેલા ખાડિયાનાકોર્પોરેટર એવા મયુર દવેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાછે. તેઓ છેલ્લા 15 દિવસથી તેમના વોર્ડ અને માર્કેટના લોકોના કોરોના ટેસ્ટ કરાવતા હતા. આમ બે દિવસમાં જ ખાડિયાના બે કોર્પોરેટરને કોરોના સંક્રમણ લાગ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.