દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે મંગળવારે મોડી રાત સુધીમાં ભારતમાં કોરોનાવાયરસનાં નવા કેસની કુલ સંખ્યા 15 લાખ સુધી પહોંચી ગઈ છે, જ્યારે દેશમાં સક્રિય કોવિડ-19 કેસોની સંખ્યા હવે પાંચ લાખને પાર કરી ગઈ છે. 29 જુલાઈ 2020 ની સવાર સુધીમાં, છેલ્લા 24 કલાકમાં સંક્રમિતોનાં 48,513 નવા કેસો સામે આવ્યા છે
આપને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં 768 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે, દેશમાં દર્દીઓની કુલ સંખ્યા વધીને 15,31,669 થઈ ગઈ છે. વળી 34,193 લોકોએ આ રોગથી પોતાનો જીવ ગુમાવ્યો છે. આ રોગમાંથી ઠીક થનારા લોકોની સંખ્યા પણ 10 લાખની નજીક પહોંચી રહી છે. અત્યાર સુધીમાં 9,88,029 લોકો આ રોગને હરાવવામાં સફળ રહ્યા છે.
The total number of COVID19 active cases in India is 5,09,447, discharged/migrated cases 9,88,030 and 34,193 deaths: Ministry of Health https://t.co/A5zewv12fk
— ANI (@ANI) July 29, 2020