કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે સરકારને સવાલ કર્યો હતો કે ચીનની સરહદમાં તણાવ વચ્ચે કોઈ ચીની સૈનિક ભારતની સીમમાં પ્રવેશ કર્યો છે કે કેમ. તેમણે ટ્વીટ કર્યું, “શું ભારત સરકાર આ વાતની પુષ્ટિ કરી શકે છે કે કોઈ પણ ચીની સૈન્ય ભારતીય સીમામાં પ્રવેશ્યું નથી?”
પૂર્વી લદ્દાખમાં એલએસીને લઈને ભારત અને ચીન વચ્ચે સતત ઘર્ષણ થયાનાં સમાચાર મળી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીનાં નેતા રાહુલ ગાંધીએ ભારત સરકાર પર નિશાન સાધ્યું છે. લદ્દાખમાં ચીની સૈનિકોની કથિત ઘૂસણખોરી સંબંધિત અહેવાલોની પૃષ્ઠભૂમિમાં, રાહુલ ગાંધીએ બુધવારે સવાલ કર્યો કે શું સરકાર આ વાતની પુષ્ટિ કરી શકે છે? એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીન અને ભારતનાં ઉચ્ચ સૈન્ય અધિકારીઓ એલએસી પરનાં વિવાદ વચ્ચે તેને હલ કરવાનો પ્રયાસ કરશે.
Can GOI please confirm that no Chinese soldiers have entered India?https://t.co/faR5fxEqQO
— Rahul Gandhi (@RahulGandhi) June 3, 2020