ભારતમાં કોરોના વાયરસનાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 અઠવાડિયામાં કોરોના વાયરસે વધુ વેગ પકડ્યો છે. સ્થિતિ એ છે કે કોરોના વાયરસનાં કેસોએ ભારતને સ્પેનની આગળ પહોંચાડી દીધો છે. ભારત હવે વિશ્વભરમાં કરોના વાયરસથી પ્રભાવિત દેશોમાં પાંચમાં નંબર પર પહોંચી ગયો છે. કોરોના વાયરસનાં કેસમાં ભારતે સ્પેનને પાછળ છોડી દીધું છે.
જારી કરાયેલા આંકડા મુજબ, ભારત કોરોના વાયરસ વૈશ્વિક રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત વિશ્વનો પાંચમો દેશ બનીને સ્પેનને પાછળ છોડી ગયો છે. ભારતમાં કોવિડ-19 ચેપનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસની સંખ્યા વધીને 2,45,670 થઈ ગઈ છે. વળી દેશભરમાં કોરોના વાયરસને કારણે 6,600 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
જો તમે 24 કલાકનાં આંકડા પર નજર નાખો, તો છેલ્લા 24 કલાકમાં, ભારતમાં કોરોના કેસોને કારણે ભારતે ઇટાલી અને સ્પેનને પાછળ છોડી દીધું. સ્પેનમાં કોરોના ચેપનાં કેસ 2,41,310 પર પહોંચી ગયા છે, જ્યારે ભારતમાં હવે કોરોના ચેપનાં કેસ 2,46,549 પર પહોંચી ગયા છે. બિટ્રેન, રશિયા, બ્રાઝિલ અને અમેરિકા ભારત કરતા આગળ છે. માત્ર 24 કલાકમાં, 9,887 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે 294 લોકો મૃત્યુ પામ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે દેશમાં 1,15,942 ચેપગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છે. વળી 1,14,072 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં કોરોના દર્દીઓમાંથી 48.20 દર્દીઓ સ્વસ્થ થયા છે. ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 2,849 મૃત્યુ થયા છે. આ પછી ગુજરાતમાં 1,190 મોત થયા છે, ત્યારબાદ દિલ્હીમાં 708 કોરોના દર્દીઓ છે. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભારતમાં કોરોનાથી મૃત્યુ પામેલા મોટાભાગનાં દર્દીઓ બીજા કોઈ રોગથી પીડાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.