કોરોનાવાયરસનો વિશ્વ તેમજ ભારતનાં ઘણા દેશોમાં કહેર વધી રહ્યો છે. સોમવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 3,32,424 થઈ ગઈ છે. સોમવારે સવારે પૂરા થતાં 24 કલાકમાં કોરોનાનાં 11,502 નવા કેસ નોંધાયા હતા અને 325 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
દેશમાં અત્યાર સુધીમાં 9,520 લોકોનાં મોત નીપજ્યાં છે, જોકે 1,69,798 દર્દીઓ આ રોગને માત આપવામાં સફળ રહ્યા છે. રિકવરી દરમાં થોડો વધારો થતાં, આ દર 51.07 ટકા પર પહોંચી ગયો છે. આપને જણાવી દઇએ કે, વિશ્વભરમાં 77 લાખથી વધુ લોકોને આ સંક્રમણ લાગ્યો છે. આ આંકડો દરરોજ વધી રહ્યો છે. દરમિયાન, દેશની રાજધાની દિલ્હીમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 40 હજારને પાર પહોંચી ગઈ છે અને અત્યાર સુધીમાં 1,300 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
325 deaths and 11,502 new #COVID19 cases reported in the last 24 hours. Total number of cases in the country now at 332424 including 153106 active cases, 169798 cured/discharged/migrated and 9520 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/9bFgKeqrRG
— ANI (@ANI) June 15, 2020
કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે સોમવારે કોરોના વાયરસ ડેટાને બહાર પાડ્યો, જેમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 1,69,798 દર્દીઓ ઠીક થયા છે, ત્યારબાદ 53,106 સક્રિય કેસ છે. વળી ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) એ કહ્યું કે, 15 જૂન સવારે 9 વાગ્યા સુધી દેશમાં કોરોના વાયરસનાં કુલ 57,74,133 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1,15,519 સેમ્પલ ટેસ્ટ છેલ્લા 24 કલાકમાં કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.