અમદાવાદમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, એમાંથી સાબરમતી જેલ પણ બાકાત રહી નથી. પરંતુ આ સ્થિતિમાં અમદાવાદ સાબરમતી સેન્ટ્લ જેલના કેદીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
કોરોનાના વધતા જતા કહેરથી આપઘાત કરી લીધો હોવાની પ્રાથમિક અનુમાન સામે આવેલ છે. જેમાં સજા ભૉગવતો પાકા કામનો કેદી રમેશજી નામનો કેદી આપઘાત કરી ગયો છે. આ કેડી નવી જેલના વીસીની બેરક કામ કરતો હતો. બીજી તરફ હવે જેલના કેદીની આત્મહત્યાને પગલે જેલના અન્ય કેદીઓમાં ભય ફેલાય ગયો છે. સમગ્ર મામલે રાણીપ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાય છે અને પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.