ગુજરાતમાં કોરોનાના વધતા કહેરની વાત કરવામાં આવે તો આંંકડાઓ કહી રહ્યા છે કે, સ્થિતિ સુધરી રહી છે. પરંતુ રોજ રોજ હાલ પણ 500+ કેસ સામે આવી રહ્યા છે, અલબત્ત કહી શકાય કે થોડા દિવસથી મોતની સંખ્યામાં જરુર ઘટાડો જોવામાં આવી રહ્યો છે. સંક્રમણ મામલે જોવામાં આવે તો કહી શકાય કે કોરોનાનું સંક્રમણ ગુજરાતનાં અનેક જીલ્લામાં હાલ વિસ્તરી રહ્યું છે અને માટે આટલા કેસ આવી રહ્યા છે. વાતને પુષ્ટી આપતા આંકડ રોજ સામે આવી રહ્યા છે, ત્યારે આણંદ જિલ્લામાં ફરી કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ સામે આવી રહી છે.
જી હા, આણંદમાં કોરોનાના એક સાથે 9 નવા કેસ નોંધવામાં આવ્યા છે. આણંદ શહેરમાં કોરોના પોઝિટિવનાં 8 કેસ તો એક કેસ આંકલાવના અંબાવમાંથી નોંધવામાં આવ્યો છે. કોરોનાનો આંક છેલ્લા 48 કલાકમાં 17 કેસ સાથે જીલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….