મંત્રીમંડળ/ રાજસ્થાનમાં કેબિનેટનું વિસ્તરણ થઇ શકે છે,શું પાયલોટની નારાજગી દૂર કરી શકશે ગહેલોત ?

મુખ્ય પ્રધાન અશોક ગેહલોત મંત્રીમંડળના વિસ્તરણથી લાંબા સમયથી ચાલતા પાયલોટ જૂથને ખુશ કરવામાં સક્ષમ થશે કે નહીં,

Top Stories
paylot રાજસ્થાનમાં કેબિનેટનું વિસ્તરણ થઇ શકે છે,શું પાયલોટની નારાજગી દૂર કરી શકશે ગહેલોત ?

કોંગ્રેસે હાલ પંજાબના આંતરિક વિખવાદનો સમાધાન કરી નાંખ્યો છે,  કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં લાંબા સમય  બાદ હવે આવતા અઠવાડિયે કેબિનેટ વિસ્તરણ અને રાજકીય નિમણૂકો થઈ શકે છે. પાર્ટી સૂત્રોએ આ માહિતી આપી છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે મુખ્ય પ્રધાન અશોક ગેહલોત મંત્રીમંડળના વિસ્તરણથી લાંબા સમયથી ચાલતા પાયલોટ જૂથને ખુશ કરવામાં સક્ષમ હશે કે નહીં,કે પછી પાર્ટીને નવા સંકટનો સામનો કરવો પડશે.

સૂત્રોએ જણાવ્યું છે કે એઆઈસીસીના જનરલ સેક્રેટરી   કેસી વેણુગોપાલ અને રાજસ્થાન પ્રભારી અજય માકન શનિવારે રાત્રે રાજસ્થાન પહોંચી રહ્યા છે. તેઓ સીએમ અશોક ગેહલોત સાથે મંત્રીમંડળના વિસ્તરણ, પાર્ટીના જિલ્લા પ્રમુખો અને અન્ય રાજકીય નિમણૂંકને લઈને વિચારણા કરશે. તેમણે કહ્યું, “બંને નેતાઓ રાત્રે  જયપુર પહોંચશે વેણુગોપાલ રાજસ્થાનના રાજ્યસભાના સાંસદ પણ છે.

બંને નેતાઓ મોડી રાત્રે અશોક ગેહલોત સાથે તેમના નિવાસ સ્થાને બેઠક કરશે. પંજાબ પછી, પાર્ટી હાઇ કમાન્ડે પોતાનું ધ્યાન રાજસ્થાન તરફ વાળ્યું છે, જ્યાં ગયા વર્ષથી પાર્ટી આંતરિક વિખવાદ જોવા  છે. પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટના નેતૃત્વમાં ઘણા ધારાસભ્યોએ બળવો કર્યો હતો. જોકે, પાર્ટી તેમને સમજાવવામાં સફળ રહી હતી. પરંતુ પાયલોટ જૂથ ઘણા સમયથી સત્તાની માંગ કરી રહ્યા છે.

પાયલોટે થોડા દિવસો પહેલા સંકેત આપ્યો હતો કે પાર્ટી તેમના દ્વારા ઉભા કરાયેલા મુદ્દાઓ પર કાર્યવાહી કરશે. તેમણે કહ્યું હતું કે તેઓ પાર્ટી હાઈકમાન્ડ તેમના સંપર્કમાં છે અને આશા છે કે જલ્દીથી જરૂરી પગલાં લેવામાં આવશે. ગહેલોત સાથે મતભેદ બહાર આવ્યા બાદ ગયા વર્ષે પાઇલટને ડેપ્યુટી સીએમ પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ગયા મહિને તેમના જૂથના ધારાસભ્યોએ કહ્યું હતું કે ગયા વર્ષે પાર્ટીએ જે વચનો આપ્યા છે તે જલ્દી પૂરા થવા જોઈએ. ગેહલોતે કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત 21 સભ્યો છે, જ્યારે 9 હોદ્દાઓ ખાલી છે. રાજસ્થાનમાં વધુમાં વધુ 30 પ્રધાનો હોઈ શકે છે.