હાલ રાજયમાં દિવસે ને દિવસે કેસો વધતાં જોવા મળી રહ્યા છે . જે અંતર્ગત જ વાઈબ્રન્ટ સમિટ પણ રદ કરવામાં આવ્યા તેમજ અનેક સરકારી કાર્યકર્મો રદ કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15 જાન્યુઆરી સુધીના પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. સરકાર સાંજના 7 વાગ્યા સુધીમાં કોરોનાની નવી ગાઇડલાઈન જાહેર કરે એવી શક્યતા છે. તેમજ મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથેની બેઠક યોજાઈ હતી.
જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર ઓ અને ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ તથા કચ્છના જિલ્લા કલેક્ટર ઓ, જિલ્લા વિકાસ અધિકારી ઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મુખ્યમંત્રી ને પોતાના વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઇવ, ટ્રેસીંગ-ટ્રેકીંગ અને જરૂરતમંદ કેસોમાં આઇસોલેશન તથા હોસ્પિટલોમાં દવાઓ, ઓક્સિજન બેડ વિગેરેની સંપૂર્ણ વિગતો આપી હતી.
આ પણ વાંચો:ઉત્તરાખંડ ચૂંટણી 2022 / આ રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ હવે મળશે મફત, ગરીબ બાળકોને 50 હજાર આપવામાં આવશે
કોરોના સામે રોગ પ્રતિકારક શકિત વધારવા આગામી સોમવાર 10 જાન્યુઆરીથી મહાનગરો અને જિલ્લાઓ માં આયુષ દ્વારા દરરોજ 2 હજાર કિલો ઉકાળા પાવડર પહોંચાડવાનું આયોજન થઈ ગયું છે તેનો પણ. લાભ વધુ ને વધુ લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થાઓ કરવા પણ આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી.
અધિકારીઓની સૂચના પ્રમાણે વર્ગ 3 અને તેની નીચેના વર્ગના કર્મચારીઓ માટે આ નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. તો કોરોના સામે વેક્સિનના બે ડોઝ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. વેક્સિનના બે ડોઝ લેનાર જ ઓફિસ જઈ શકશે. અધિકારીઓની સૂચના અનુસાર કામગીરી કરવા જણાવાયું છે.
આ પણ વાંચો:જરાત / સૌરાષ્ટ્રમાં આજે પણ માવઠાની આગાહી વચ્ચે પોરબંદર-દ્વારકા જિલ્લામાં સવારથી વરસાદ ચાલુ