આજે મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાપુના જન્મસ્થળની મુલાતકાતે ગયા છે. આજે મુખ્યમંત્રી કીર્તી મંદિર પોરબંદર પહોચ્યા હતા.મહાત્મા ગાંધીના જન્મસ્થળ પર પુષ્પાજંલિ અર્પી હતી અને પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. આ સમયે પોરબંદરના ધારાસભ્ય પણ ત્યાં ઉપસ્થિતિ રહ્યા હતા.
સત્ય અને અહિંસાના પૂજારી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ૧૫૨ માં જન્મદિવસ પર તેઓની દિવ્યચેતનાને નતમસ્તક વંદન કરું છું.આપણે સૌ પૂજ્ય બાપુના સત્ય અને અહિંસા જેવા સદ્દગુણોને જીવનમાં અનુસરીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ. pic.twitter.com/yIhbC7Mq2Y
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 2, 2021
આજે મહાત્મા ગાંધીજીની 152ની જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રીએ ટ્વિટ પર શ્રદ્વાંજલિ આપી હતી અને તેમણે લખ્યું કે તેઓની દિવ્ય ચેતનાને નતમસ્તક વંદન કરૂ છું, અને તેમમે તેમના ટ્વિટમાં ગાંધીજીના ગુણો અપનાવવાની વાત પણ કરી હતી તેમણે ટ્વિટમાં લખ્યું કે આપણે સૌ બાપુના સત્ય-અહિંસા જેવા સદગુણોને જીવનમાં અનુસરીએ.
મહાત્મા ગાંધીજીના જન્મસ્થળે પહોચ્યા બાદ મુખ્યમંત્રીએ પુષ્પ અર્પીને શ્રદ્વાંજલિ આપી હતી. બાપુના 152 જન્મજંયતિ નિમિત્તે મુખ્યમંત્રી હાલ પોરબંદરની મુલાકાતે ગયા છે.