પશ્વિમ બંગાળના રામપુરહાટમાં આઠ લોકોને સળગાવી દેતા અરેરાટી ફેલાઇ ગઇ છે જેના લીધે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. બંગાળના રાજ્યપાલે હિંસાની કડક પ્રતિક્રિયા આપી હતી જેના લીધે રાજ્યના મુખ્યમંત્રીએ પત્ર લખીને વાંધો વ્યક્ત કર્યો હતો . પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ રાજ્યપાલ જગદીપ ધનખરને અનુચિત નિવેદનો કરવાથી દૂર રહેવા અને વહીવટીતંત્રને નિષ્પક્ષ તપાસ કરવાની મંજૂરી આપવા વિનંતી કરી છે
Rampurhati, Birbhum incident | West Bengal CM Mamata Banerjee urges Governor Jagdeep Dhankhar “to refrain from making unwarranted statements and allow administration to conduct an impartial probe.” pic.twitter.com/PLDp7t74za
— ANI (@ANI) March 22, 2022
રાજ્યપાલને લખેલા પત્રમાં બેનર્જીએ કહ્યું કે રાજ્ય પ્રશાસને તાત્કાલિક પગલાં લીધાં છે અને વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે. વરિષ્ઠ મંત્રી ફિરહાદ હકીમને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સ્થળ પર મોકલવામાં આવ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. “નિષ્પક્ષ તપાસ માટે માર્ગ મોકળો કરવાને બદલે સફાઈ અને બિનજરૂરી નિવેદનો કરવા તે ખૂબ જ અયોગ્ય છે,મુખ્યમંત્રીએ કહ્યું. “આટલું સન્માનજનક બંધારણીય પદ ધરાવતા વ્યક્તિ માટે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને અભદ્ર છે,તેમણે કહ્યું. બેનર્જીએ રાજ્યપાલ પર પ્રહારો કર્યા અને કહ્યું કે જ્યારે ભાજપ શાસિત રાજ્યોમાં “ખૂબ જ ઘૃણાસ્પદ” ઘટનાઓ બને છે ત્યારે તેઓ ચૂપ રહેવાનું પસંદ કરે છે.
આ ઘટના પર શોક વ્યક્ત કરતા રાજ્યપાલે રાજ્યના મુખ્ય સચિવ પાસે જલ્દીથી આ અંગેની માહિતી માંગી છે. કોલકાતાથી લગભગ 220 કિમી દૂર, બીરભૂમ જિલ્લાના બોગાતુઈ ગામમાં તૃણમૂલ કોંગ્રેસના નાયબ પંચાયત પ્રમુખની હત્યા બાદ આઠ ઘરોને કથિત રીતે સળગાવી દેવામાં આવ્યા હતા, જેમાં આઠ લોકો દાઝી ગયા હતા. રાજ્યપાલે ટ્વીટ કર્યું, “રામપુરહાટ, બીરભૂમમાં ભયાનક હિંસા અને આગચંપી એ સંકેત છે કે રાજ્ય હિંસા અને અરાજકતાની સંસ્કૃતિની પકડમાં છે.” “વહીવટીતંત્રે પક્ષના હિતથી ઉપર ઉઠવાની જરૂર છે જે ચેતવણી આપ્યા પછી પણ વાસ્તવિકતામાં દેખાતું નથી,” તેમણે આ ટ્વિટ સાથેના એક ટેલિવિઝન સંદેશમાં કહ્યું હતું.