આ દિવસોમાં ચીન કોરોનાના મોજા સામે લડી રહ્યું છે. સંક્રમણને રોકવા માટે દેશના બે સૌથી મોટા શહેરો બિજિંગ અને શાંઘાઈમાં ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે શી જિનપિંગ સેરેબ્રલ એન્યુરિઝમ નામની બીમારીથી પીડિત છે. આટલું જ નહીં, તેમને 2021ના અંતમાં હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવ્યો છે.
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે શી જિનપિંગે સર્જરી કરાવવાને બદલે પરંપરાગત ચીની દવાઓથી સારવાર લેવાનો નિર્ણય કર્યો છે. શી જિનપિંગની તબિયત અંગે છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી છે, કારણ કે બિજિંગ વિન્ટર ઓલિમ્પિક સુધી તેઓ કોઈ વિદેશી નેતાઓને મળ્યા ન હતા.
અગાઉ 2019માં ઈટાલીની મુલાકાત દરમિયાન જોવામાં આવ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને ચાલવામાં ઘણી તકલીફ થઈ રહી છે. આ પછી, ફ્રાન્સમાં પણ, તેમને બેસવા માટે સમર્થનની જરૂર હતી. 2020માં ચીનના શેનઝેનમાં રેલી દરમિયાન જિનપિંગ સ્ટેજ પર મોડેથી પહોંચ્યા હતા. એટલું જ નહીં તેમણે ધીમા અવાજમાં ભાષણ આપ્યું હતું.
ચીન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે
જિનપિંગની બીમારીના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ચીનની અર્થવ્યવસ્થા કોરોના મહામારીના કારણે સંકટમાં છે. યુક્રેન-રશિયા યુદ્ધ અને કોરોના સામે ઝીરો કોવિડ નીતિના કારણે ચીનમાં તેલ અને ગેસના ભાવમાં વધારો થવાના અહેવાલો પણ છે.
બીજી તરફ શી જિનપિંગ ત્રીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે તેમના અત્યાર સુધીના કાર્યકાળમાં ચીનને વધુ સમૃદ્ધ, પ્રભાવશાળી અને સ્થિર બતાવવાનો પ્રયાસ કર્યો છે.
સેરેબ્રલ એન્યુરિઝમ શું છે?
સેરેબ્રલ એન્યુરિઝમ એ મગજનો ખતરનાક રોગ છે. આ રોગ મગજના કોઈપણ ભાગમાં થઈ શકે છે. કોઈપણ ઉંમરની વ્યક્તિ તેનો શિકાર બની શકે છે. જો કે, આ રોગ 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને અસર કરે છે. આ રોગ સ્ટ્રોક, કોમા અથવા મૃત્યુ તરફ દોરી શકે છે. હાઈ બ્લડ પ્રેશર, આનુવંશિક રીતે નબળા ચેતા, ચેપ, ઇજાઓ અને ગાંઠોથી સંક્રમિત લોકો આ રોગ માટે વધુ સંવેદનશીલ હોય છે.
આ પણ વાંચો:રાજયમાં 6 હજાર કરોડના કોલસા કૌભાંડની તપાસ CIDને સોંપાઇ,જાણો વિગત
આ પણ વાંચો:માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને થયો કોરોના, કહ્યું- લક્ષણો હળવા છે અને હું…
આ પણ વાંચો: GOOGLE પર ભૂલથી પણ આ 3 વસ્તુઓ સર્ચ ન કરતા નહીંતર પોલીસ જેલમાં નાંખી દેશે!