બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ છેતરપિંડીનો શિકાર બન્યો છે. હકીકતમાં, કોઈ અજાણ્યા વ્યક્તિએ તેના પાન કાર્ડની વિગતોનો ઉપયોગ કરીને લોન લીધી છે. રાજકુમાર રાવનું કહેવું છે કે આ છેતરપિંડીથી તેમનો CIBIL સ્કોર પ્રભાવિત થયો છે. રાજકુમાર રાવે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આપને જણાવી દઈએ કે અગાઉ સની લિયોન પણ આવી જ છેતરપિંડીનો શિકાર બની હતી અને તેના પાન કાર્ડની વિગતો દ્વારા કોઈએ 2,000 રૂપિયાની લોન લીધી હતી.
રાજકુમાર રાવે ટ્વીટ કરીને લખ્યું – ફ્રોડ એલર્ટ! મારા પાન કાર્ડનો દુરુપયોગ કરીને કેટલાક છેતરપિંડી કરનારાઓએ મારા નામે 2500 રૂપિયાની લોન લીધી છે. આ કારણે મારા CIBIL સ્કોર પર અસર થઈ છે. CIBIL અધિકારીઓને આને રોકવા માટે યોગ્ય પગલાં લેવા વિનંતી કરવામાં આવે છે. જો કે, હજુ સુધી CIBIL અધિકારીઓ તરફથી રાજકુમાર રાવને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે અગાઉ સની લિયોને કહ્યું હતું કે તેના પાન કાર્ડની વિગતો દ્વારા 2,000 રૂપિયાની લોન લેવામાં આવી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રાજકુમાર રાવ છેલ્લે ફિલ્મ બધાઈ દોમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ 11 ફેબ્રુઆરી, 2022ના રોજ રિલીઝ થઈ હતી. રાજકુમાર રાવ ટૂંક સમયમાં હિટ, મોનિકા ઓ માય ડાર્લિંગ અને મૂડી જેવી ફિલ્મોમાં જોવા મળશે. રાજકુમાર રાવે ગયા વર્ષે 15 નવેમ્બર, 2021ના રોજ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે સાત ફેરા લીધા હતા. આ કપલે બે દિવસ પહેલા 13 નવેમ્બરના રોજ સગાઈ કરી હતી.
આ પણ વાંચો : બોલિવૂડ બાદ હવે હોલીવુડમાં એન્ટ્રી કરશે રિચા ચડ્ડા! આ મોટી ઓફર મળી
આ પણ વાંચો :આર્યન ખાન ડ્રગ્સ કેસના મુખ્ય સાક્ષી પ્રભાકરનું નિધન, વકીલનો દાવો, હાર્ટ એટેકના કારણે થયું મૃત્યુ
આ પણ વાંચો :સિંગર વિક્ટોરિયા બેકહમના ઘરમાં થઈ ચોરી, જાણો કેવી રીતે થઈ જાણ
આ પણ વાંચો : જાહ્નવી કપૂરે સિલ્વર કલરના બોડીકોન ડ્રેસમાં શેર કર્યા ફોટા, ચાહકોએ કહ્યું, ‘સ્ટનિંગ લૂક’