જૈન સમાજ દ્વારા પર્યુષણની ઉજવણી ઠેર ઠેર જોવા મળે છે. જેમા ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. ઘણા લોકો અઠ્ઠાઇ એટલે કે સળંગ આઠ દિવસ નકોડા ઉપવાસ કરતા હોય છે. ત્યારે અમદાવાદ આવેલા નારણપુર વિસ્તારમાં એક પરિવાર દ્વારા પર્યુષણ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમા પૂજા પાઠ, ગરબા સહિત આ પર્વની ઉજવણી કરવામાં આવી. જેના ફોટોઝ અને વીડિયોઝ આપ નિહાળી શકો છો.
આ પરિવારે કોરોના મહામારી વચ્ચે સરકારની ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખી સમગ્ર પર્વની ઉજવણી કરી હતી. આ પરિવાર પર્યુષણ પર્વ દરમિયાન જૈન ભાઇઓ તથા બહેનો પ્રભુજીની પૂજાભક્તિ કરી શકે તે માટે ધાતુની પ્રતિમા ઘરે લઇને આવ્યા હતા. કોરોના મહામારી વચ્ચે પરિવાર દ્વારા દર્શન-પૂજા કરવા આવતા લોકોને અપીલ કરી હતી કે તેઓ, સેનીટાઇઝર, માસ્કનો પૂરતો ઉપયોગ કરે. બે ગજની દૂરી બનાવી રાખે. સરકારની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી પૂજા પાઠ કરવા આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.